આ સમયે જો આપણે કોઇ સકારાત્મક વિચાર કરીએ છીએ તો જીવનમાં સકારાત્મક ઘટનાઓ બને છે. જો આ સમયે આપણે નકારાત્મકત વિચારો કરીએ તો જીવનમાં નકારાત્મકતા આવે છે. જો આપણી સવાર શુભ દર્શન કે શુભ કાર્યોથી શરુ થાય છે તો તમારો આખો દિવસ શુભ રહેશે.
- સવારે ઉઠીને કોઇ શંખ કે મંદિરના ઘંટનો અવાજ સંભળાય તો તે શુભ માનવામાં આવે છે.
- નારિયેળ, શંખ, મોર, હંસ કે ફુલ જો તમને સવાર સવારમાં દેખાઇ જાય તો તમારો આખો દિવસ શુભ જાય છે.
- સવારે ઘરેથી નીકળતી વખતે તમને કોઇ સફાઇકર્મી દેખાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે.
- ધર્મગ્રંથો અને રૂષિમુનિઓના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે આપણા હાથની હથેળીઓમાં દૈવીશક્તિ નિવાસ કરે છે તેથી સવારે ઉઠીને હથેળી જોવી શુભ મનાય છે.
- સવારે સવારે સફેદ ફુલ, હાથી કે મિત્ર દેખાવાને પણ શુભ મનાય છે.
- સવારે ઉઠતા ગાય દેખાય અથવા તેનો અવાજ સંભળાય તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે.
- છાણ, સોનુ, તાંબુ કે લીલું ઘાસ દેખાય તો પણ દિવસ સારો જાય છે.