આજથી પિતૃ પક્ષનો પ્રારંભ થાય છે. આવામાં હાલમાં ત્રણ રાશીઓ પેર સાડા સતી પણ છે.
આજથી પિતૃ પક્ષનો પ્રારંભ
શનિ હાલમાં મકર રાશિમાં બિરાજમાન છે
ધનુ, મકર અને કુંભ રાશી પર છે સાડા સાતી
શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શાસ્ત્રોમાં શનિવારને શનિદેવનો પ્રિય દિવસ કહેવામાં આવ્યો છે. આ જ કારણ છે કે આ દિવસે શનિ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ શનિવારની ખાસ વાત છે કે આ દિવસે પિતૃ પક્ષનો પણ પ્રારંભ થાય છે.
પિતૃ પક્ષ ક્યારથી શરુ થાય છે?
પૌરાણિક ગ્રંથોમાં પિતૃ પક્ષને વિશેષ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે આ 10 સપ્ટેમ્બર 2022 એટલે કે શનિવારે ભાદ્રપદ્ર મહિનાની પૂર્ણિમા તિથીથી શરુ થાય છે. શ્રાદ્ધ પક્ષનું સમાપન 25 સપ્ટેમ્બર 2022નાં રોજ થશે, આ દિવસે સર્વ પિતૃ અમાસ પણ છે.
પિતૃ પક્ષમાં શનિદેવની પૂજા
પિતૃ પક્ષમાં શની દેવની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયનો કારક માનવામાં આવે છે. આ સાથે જ શનિને કર્મફળદાતા પણ કહેવામાં આવે છે, જે આપના પૂર્વ જન્મનાં સારા ખરાબ કર્મો સાથે પણ જોડાયેલ છે. આ જ કારણ છે કે પિતૃ પક્ષમાં શનિ પૂજાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
આ રાશીઓ પર છે સાડા સાતીની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્તમાન સમયમાં શનિ, મકર રાશીમાં ગોચર કરી રહ્યા છે. આ સમયે શનિ વક્રી છે. મકર શનિની પોતાની રાશી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમયે ધનુ રાશી, મકર રાશી અને કુંભ રાશી પર સાડા સાતી ચાલી રહી છે.
શનિવારે શનિના ઉપાયો
શનિવારના દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા માટે સૌથી સારો માનવામાં આવે છે. આ દિવસે પિતૃ પક્ષનો પહેલો શ્રાદ્ધ પણ છે. એટલા માટે આ દિવસનું મહત્વ વધી જાય છે. શનિવારના રોજ નજીકના શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવવું જોઈએ. આ દિવસે શનિ સાથે જોડાયેલ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે કાળી અડદ, કાળા ચપ્પલ, કાળી છત્રી, લોઢું વગેરે દાન કરી શકાય છે. આ દિવસે પિતૃનો આભાર વ્યક્ત કરવો જોઈએ અને પિતૃ દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્યોને યાદ કરવા જોઈએ.