શિવજીની પૂજામાં કરાતા મંત્રજાપનું ખાસ મહત્વ હોય છે. શ્રાવણ મહિનામાં કયા શિવમંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે તે જાણી લો.
ખૂબ જ કલ્યાણકારી છે આ શિવમંત્ર
જાણો મનોકામના પૂરી કરવામાં કઈ રીતે મદદ કરે છે મંત્રજાપ
શ્રાવણમાં શિવપૂજાનું છે ખાસ મહત્વ
સનાતન પરંપરામાં કોઈ પણ દેવી દેવતાની કૃપા મેળવવા માટે અનેક પ્રકારની વિધિ કરાય છે. તેમાં મંત્રજાપનું ખાસ મહત્વ ગણાવાયું છે. માન્યતા છે કે કળિયુગમાં મંત્રના જાપ કરવાથી ઈશ્વરની કૃપા તરત મળે છે. માન્યતા છે કે કળિયુગમાં મંત્રનો જાપ કરી લેવાથી ઈશ્વરની કૃપા મળે છે અને સાથે તમે શિવના ભક્ત છો તો પ્રતિદિન શિવની સાધના કરો છો તો તમારા દુઃખ દૂર થાય છે અને સાથે જ મનોકામના પણ પૂરી થાય છે. તેના જપની સાથે શિવની કૃપા વરસવા લાગે છે.
કારોબારમાં વધારો કરવા માટે કરો આ મંત્રનો જાપ
જો કોરોના કાળમાં તમારો કારોબાર ધીમો થઈ ગયો છે તો તમે કામ ધંધામાં તમામ બાધાને દૂર કરવા માટે અને ગાડીને પાટા પર લાવવા માટે શ્રાવણમાં શિવસાધનાનો પ્રયોગ કરી લો તે જરૂરી છે. તેની મદદથી તમને ધંધામાં લાભ મળી જશે. કપાલી કુટિકાને નીચે આપેલા મંત્રથી ઓછામાં ઓછો 51 વાર આ મત્રનો જાપ કરીને વ્યવસાયના સ્થળે ધન રાખનારા સ્થાન પર રાખો. લાભ થશે.
विशुद्धज्ञानदेहाय त्रिवेदीदिव्यचक्षुषे।
श्रेय:प्राप्तिनिमित्ताय नम: सोमाद्र्धधारिणे।।‘
રાજનિતિમાં સફળતા માટે
જો તમે રાજનિતીમાં જોડાયેલા છો તો તમે મોટા પદની રાહ જોઈ રહ્યા છો તો તમે શ્રાવણમાં ભગવાન શિવની સાધના કરો. તેની સાથે આ મહિનામાં ત્રુપુરારી માલા વિધિ વિધાનથી પૂજા કરવાથી નીચેના મંત્રનો જાપ કરી લો. સફળતા જલ્દી મળશે.
‘ॐ देवाधिदेव देवेश सर्वप्राणभूतां वर।
प्राणिनामपि नाथस्त्वं मृत्युंजय नमोस्तुते।।‘
બાધા અને નજરદોષને દૂર કરવા માટે
જો તમને લાગે છે કે કોઈ વિરોધી તમારી ઉપર તંત્ર મત્ર જેવી ચીજો કરાવી રહ્યું છે કે પછી તમને નજર દોષની સમસ્યા આવી રહી છે અને સાથે માનસિક અને શારિરીક કષ્ટ થઈ રહ્યો છે તો તમે તેમાંથી બબાર આવવા માટે શિવગૌરી યંત્ર વિધિ વિધાન પૂજા કરીને નીચે આપેલા રુદ્રાકષ્ટમના મંત્રનનો પાઠ કરો.