દર મહિનાની પહેલી તારીખે અમુક નવા નિયમો લાગુ થાય છે અથવા તો જુના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.
આજથી બદલાઈ ગયા છે આ નિયમો
મહત્વના ફેરફાર તમારા માટે જાણવા જરૂરી
જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
આજે એટલે કે 1 ડિસેમ્બર 2021એ ઘણા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ફેરફારમાં આધાર-UAN લિંક, પેન્શન, બેન્ક ઓફર વગેરે શામેલ છે. દર મહિનાની પહેલી તારીખે અમુક નવા નિયમો લાગુ થઈ જાય છે અથવા જુના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે.
UAN- આધાર લિંક
જો તમે નોકરીયાત છો અને તમારા પીએફ ખાતાનો યુનિવર્સ એકાઉન્ટ નંબર (UAN) છે તો તેને આધાર નંબરથી લિંક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. જો કોઈએ આ કામ લાસ્ટ ડેટ સુધી નથી કર્યું તો તના પીએફ એકાઉન્ટમાં પૈસા જમા થવાનું રોકાઈ જશે. આટલું જ નહીં, જો કોઈ પીએફ ખાતામાં પૈસા ઉપાડવા માંગે છે તો તેમાં પણ મુશ્કેલી થઈ જશે. જો તમે હજુ સુધી આમ નથી કર્યું તો પોતાની ઓફિસમાં પીએફ ડીલ કરનાર વિભાગ સાથે સંપર્ક કરવો જોઈએ.
લાઈફ સર્ટિફિકેટની લાસ્ટ ડેટ
જે લોકો પેન્શનર્સની કેટેગરીમાં આવે છે. તેમની માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની લાસ્ટ ડેટ 30 નવેમ્બર હતી. જે લોકોએ આમ નહીં કર્યું હોય તેમને 1 ડિસેમ્બર બાદ પેન્શન મળવાનું બંધ થઈ શકે છે. જે લોકો દુર્ભાગ્યથી હજુ સુધી આમ નથી કરી શક્યા. તેમને હવે શું કરવું તે પોતાના સંબંધિત વિભાગનો સંપર્ક કરી જાણી શકે છે.
બેન્કોના ઓફર અને વ્યાજ
ફેસ્ટિવ સીઝન વખતે મોટાભાગની બેન્કોમાં હોમ લોનની અલગ અલગ ઓફર આપવામાં આવતી હતી જેમાં પ્રોસેસિંગ ફી માફી અને ઓછા વ્યાજદર આપવામાં આવતા હતા. મોટાભાગની બેન્કોની ઓફર 31 ડિસેમ્બરે ખતમ થઈ રહી છે. પરંતુ LIC હાઉસિંગ ફાઈનાન્સ ઓફર 30 નવેમ્બર સુધી ખતમ થઈ રહ્યું છે. LICની હોમ લોન કંપની LIC Housing Financeએ દિવાળીના ફેસ્ટિવ સીઝન પર હોમ લોન ઓફર નિકળી હતી. તેમાંથી બે કરોડ રૂપિયા સુધીની હોમ લોન પર 6.66%ના દરથી વ્યાજ આપવામાં આવ્યું હતું.
SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે 1 ડિસેમ્બરથી એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી EMI પર શોપિંગ મોંઘી થઈ જશે. એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરવા પર અત્યાર સુધી ફક્ત વ્યાજ આપવાનું હોતું હતું પરંતુ 1 ડિસેમ્બરથી પ્રોસેસિંગ ફી પણ આપવી પડશે.
આ રીતે પંજાબ નેશનલ બેન્કે 1 ડિસેમ્બરથી પોતાના સેવિંગ એકાઉન્ટ જમા પર વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે. 10 લાખથી ઓછી જમા બાકી પર 10 બેસિસ પોઈન્ટ અને 10 લાખથી ઉપરના જમા પર 5 બેસિસ પોઈન્ટની કપાત કરવામાં આવી છે.
ગેસ સિલિન્ડરના ભાવ
1 ડિસેમ્બરથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા થાય છે. આ દિવસે કોમર્શિયલ અને ઘરેલુ સિલિન્ડરોના નવા રેટ જાહેર કરવામાં આવે છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 ડિસેમ્બરે 19 કિલો વાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. તેની સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 2101 રૂપિયા થઈ ગયા છે. તેનાતી રેસ્ટોરન્ટનું ભોજન વધારે મોંઘુ થઈ શકે છે.