મોશન સિકનેસ કોઇ બિમારી નથી પરંતુ શરીરના સંતુલન સાથે જોડાયેલી સમસ્યા છે. આ એ સ્થિતિ છે જ્યારે આપણા મગજની અંદર કાન , આંખ અને ત્વચાને અલગ અલગ સિગ્નલ મળે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મુશ્કેલી આવે છે, જેના કારણે ચક્કર અને ઉબકા આવતા હોય છે. એટલે કે મોશન સિકનેસ હાવી થઇ જાય છે.
સામાન્ય રીતે કારમાં ટ્રાવેલિંગ સમયે મોટો ભાગે લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ટ્રાવેલિંગ દરમિયાન આવી પરિસ્થિતિમાંથી રાહત મળે તે માટે આજે જણાવીશું કેટલાક ઉપાયો...
- કોઇ જગ્યાએ મુસાફરી કરતા પહેલા એક કપ આદુની ચા પીવાથી મોશન સિકનેસને કારણે આવતી ઉલ્ટી નહી થાય. ઉબકા આવે તો પણ એક કપ આદુવાળી ચા પીવાથી તરત જ આરામ મળી જાય છે.
- સફરજનનો સરકો (એપલ વિનેગર) શરીર પર એક ક્ષારીય અને પીએચ સંતુલન પર પ્રભાવ નાખે છે. મોશન સિકનેસ થવાથી એક કપ ગરમ પાણીમાં એક ચમચી સફરજનો સરકો અને એક ચમચી મધ ભેળવીને પિવાથી મોશન સિકનેસ ઠીક થઈ જશે.
- તાજા લીંબુ કે લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હોય છે, જે મુસાફરી દરમિયાન થતી ઉલ્ટી, મોશન સિકનેસ અને પેટની સમસ્યાઓ ઠીક કરી શકે છે. આ રીતે ટ્રાવેલિંગ દરમિયાન ચોક્કસથી લીબું રાખવુ જોઇએ.
- પેપરમિંટ મોશન સિકનેસની સમસ્યામાંથી તુરંત રાહત અપાવે છે. ફૂદીનામાં રહેલો મેન્થોલ પેટની માંસપેશિઓનો શાંત કરે છે અને ઉબકાને ઘટાડે છે. આમ આ રીતે મોશન સિકનેસને દૂર કરવામાં મદદ કરે છે.
- ગ્રીન એપ્પલમાં રહેલા પેક્ટિન પેટમાં રહેલા એસિડને બેઅસર કરવામાં મદદ કરે છે અને તેના કારણે મોશન સિકનેસની સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત ગ્રીન એપ્પલમાં મળતી શર્કરા પેટમાં ઠંડક આપે છે.
- ખારા બિસ્કિટ સરળતાથી પચી શકે તેવો નાસ્તો ગણવામાં આવે છે. નમકીન અને સુંગધિત હોય છે પરંતુ ગળ્યા હોતા નથી. આ ખારા બિસ્કિટ વધારાના એસિડને શોશી લે છે અને મોશન સિકનેસ ઠીક કરે છે.