કેટલાક લોકો એવા પણ હોય છે જેમનું કામ હંમેશા બનતા-બનતા અટકી જાય છે અથવા પૂરતા પ્રયત્નો બાદ પણ નિસફળતા મળે છે. આ પ્રકારના લોકો હંમેશા પોતાની કિસ્મતને દોષ આપતા હોય છે. જાણીતા જ્યોતિષ અનુસાર જો કોઇનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા કેટલાક ઉપાયો દ્વારા તે વ્યક્તિ સરળતાથી પોતાની કિસ્મત બદલી શકે છે.
1. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીના પાન અને પીપળના ઝાડને પણ જળ અર્પિત કરો આ ઉપાયથી ઘરમાં સુખ-શાંનિ બની રહે છે.
2. સવારે જ્યારે ભોજન બનાવો ત્યારે પ્રથમ રોટલી ગાય અને અંતિમ રોટલી કૂતરા માટે જરૂર નીકાળી લો. તેનાથી અનેક પ્રકારના દોષ જાતેજ સમાપ્ત થઇ જાય છે.
3. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પૂજા ઘરમાં સફાઇ કરી ભગવાનને તાજા ફૂલ ચઢાવો. પૂજા ઘરમાં સફાઇ ન હોવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે. જેનાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે.
4. દરરોજ નજીકના તળાવ અથવા નદી પર જઇ માછલીઓને લોટ ખવડવો. જો દરરોજ નથી કરી શકતા તો ખાલી મંગળવાર અને શુક્રવારે પણ કરી શકો છો.
5. રોજ ઘરેથી નીકળ્યા પહેલા પોતાના માતા-પિતાના આશીર્વાદ જરૂર લો. આ ઉપાયથી તમારી ખરાબ કિસ્મત પણ ચમકી ઉઠશે.