IPL પૂરી થઇ ગઇ છે. તમામ પ્લેયર્સ પોતાનું શાનદાર પરફૉર્મન્સ આપીને રિલેક્સ થઇ રહ્યા છે હાલમાં ટીમ ઇન્ડિયાનું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત ખેલાડીઓના હાથમાં દેખાઇ રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાના ઘણા યુવા ખેલાડીઓએ પોતાનું શાનદાર ફૉર્મ બતાવી દીધું છે. મનીષ પાંડે શ્રેયસ અય્યર ઋષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડીઓ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. એવામાં ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે આગામી વર્ષે વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
2019ના વર્લ્ડ કપ રમવાની પોતાની ઇચ્છા જાહેર કરનારા ટીમ ઇન્ડિયનો ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ માટે આવતું વર્ષ કદાચ ક્રિકેટ કરિયરનું છેલ્લું વર્ષ સાબિત થઇ શકે છે. યુવરાજ સિંહ આ વખતે IPLમાં તો સારું પરફૉર્મન્સ તો ના આપી શક્યો જેથી લાગી રહ્યુ છે કે વર્લ્ડ કપમાં રમવાનું પણ મુશ્કેલ બની શકે છે.
ટીમ ઇન્ડિયાના સ્પિનર હરભજન સિંહની સ્થિતિ પણ યુવરાજ સિંહ જેવી જ છે. ભજ્જીનો પ્રયાસ ફરી એક વખત ટીમ ઇન્ડિયામાં શામેલ થવાનો છે પરંતુ તેના માટે કોઇ રસ્તો સરળ નથી. ભજ્જી પણ વર્ષ 2019 વર્લ્ડ કપ રમ્યા પછી ક્રિકેટને ગૂડબાય કરી શકે છે.
IPLની આ સિઝનમાં બધા જ લોકોનું દિલ જીતનારા ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે પણ 2019 ક્રિકેટ કરિયરનું છેલ્લું વર્ષ સાબિત થઇ શકે છે. માહી આ વાત પહેલા ઘણી વખત કહી ચૂક્યો છે કે તે હવે 1-2 વર્ષથી વધારે ક્રિકેટ નહી રમી શકે.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેઇન સ્ટેન પણ છેલ્લા ઘણા સમયથી પોતાની ઇજાઓને કારણે પરેશાન થઇ રહ્યો છે. સ્ટેનની જગ્યાએ કાગિસો રબાડા લુંગી એન્ડિગી અને ક્રિસ મોરિસ જેવા ખિલાડીઓ સાઉથ આફ્રિકાની ટીમે લઇ લીધા છે. સ્ટેન પણ વર્લ્ડ કપ પછી રિટાયર થવાનું વિચારી રહ્યો છે.
તો આ તરફ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના 9 વર્ષનો શોએબ મલિક લગભગ 19 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. મલિક ગુરુવારે વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં વર્લ્ડ ઈલેવન ટીમમાં પણ ન હતો. મલિકની ફિટનેસ અને ઉંમરને જોતા વર્ષ 2019 તેના ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ માનવામાં આવી રહ્યું છે.