ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે પાણી ભરાઇ જવાની સમસ્યા થતી રહેતી હોય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે.
મચ્છર કરડવાથી મલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. આ બિમારીઓ ના થાય અને મચ્છરોથી બચવા માટે લોકો વિવધ પ્રકારના ક્રીમ, સ્પ્રે, મોસ્કિટો રિપેલન્ટ જેવી અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરીને તમે મચ્છરોથી છૂટકારો મેળવી શકો છો.
ઓછા ખર્ચામાં મચ્છરોથી મેળવો છૂટકારો:
ઘરોમાં છોડ વાવવાથી માત્ર સુંદરતામાં જ વધારો નથી થતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જો કેટલાક છોડ વાવવામાં આવે તો મચ્છરો દૂર ભાગે છે. તેને તમે ઘરની બહાર ગાર્ડન, આંગણામાં તથા અગાશીમાં કૂંડામાં વાવી શકો છો. જાણો આવા જ કેટલાક છોડ વિશે..
તુલસી:
સામાન્ય રીતે તુલસીનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં વધારે થતો હોય છે. મોટાભાગે લોકોના ઘરમાં તુલસીને છોડ ચોક્કસથી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના ઘણા ઔષધિય ગુણો રહેલા છે. તુલસીના સુંગંધથી મચ્છર દૂર ભાગે છે. તુલસીના છોડને તમે ઘરના આંગણામાં દરવાજા કે બારી પાસે રાખી શકો છો, જેનાથી મચ્છર તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે. મચ્છર કરડે તો પણ તુલસીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.
લીમડાનું ઝાડ:
જો તમારા ઘરની આસપાસ કે ગાર્ડનમાં લીમડાનું છાડ નથી તો જલ્દીથી તમે લીમડાનું છાડ વાવી દો. લીમડાના છોડાથી તમને મચ્છર હેરાન નહી કરે અને સાથે જ માખી જેવા અન્ય જીવો પણ દૂર કરવામાં મદદરૂપ થશે. મચ્છરોને દૂર કરવા માટે લીમડાના પાંદડાનો ધુમાડો ફાયદાકરક હોય છે.
ગલગોટાનું ફુલ:
સુગંધિત એવા ગલગોટાના ફુલનો ઉપયોગ મોટેભાગે સજાવટમાં કરવામાં આવે છે. પરંતુ ગલગોટાની સુગંધ મચ્છરોને ગમતી નથી હોતી.ફુલોની તીવ્ર સુગંધથી મચ્છરો દૂર ભાગે છે. તેથી ઘરની બહાર ગલગોટાનો છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે. આ માટે ઘરના બગીચા અથવા તો ઘરની બહાર કૂંડામાં ગલગોટાનો છોડ વાવી શકો છો.