એલિયનના અસ્તિત્વને લઇને વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા રહે છે. ઘણા વૈજ્ઞાનિકોનું માનવુ છે કે કોઈ ગ્રહ પર એલિયન હોઇ શકે છે. જેને લઇને કોપેનહેગન વિશ્વ વિદ્યાલય દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતુ.
આ ગ્રહોમાં હોઇ શકે છે એલિયન્સનું ઘર
કોપેનહેગન વિશ્વ વિદ્યાલય દ્વારા કરાયુ સંશોધન
ગ્રહો બાઇનરી સિતારાની કરી રહ્યાં છે પરિક્રમા
બે તારાથી મળીને બને છે બાઈનરી સ્ટાર
સંશોધનમાં જાણવા મળ્યું કે જે ગ્રહ બાઇનરી સિતારાની પરિક્રમા કરી રહ્યાં છે, તેઓ એલિયન્સ માટે સંભવિત ઘર હોઇ શકે છે. મહત્વનું છે કે બાઈનરી સ્ટાર બે સિતારાની એક પ્રણાલી છે, જે ગુરૂત્વાકર્ષણથી બંધાયેલા હોય છે અને એકબીજાની ચારે તરફ કક્ષામાં હોય છે. વિશેષજ્ઞોએ જોયુ છે કે બાઈનરી સિતારાને નગ્ન આંખોથી જોતા એકજેવા લાગે છે. સંશોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યના આકારનો લગભગ અડધો તારો બાઈનરી છે.
એલિયનના સંશોધનમાં મદદ
સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે બાઈનરી સિતારાની આજુબાજુ ગ્રહ પ્રણાલી સિંગલ તારાની આજુબાજુના ગ્રહોમાંથી ખૂબ ભિન્ન હોઇ શકે છે. જેનો અર્થ છે કે એવા ગ્રહ એલિયનના સંશોધનમાં નવા ટાર્ગેટ હોઇ શકે છે. પૃથ્વી પર જીવનની શક્યતાઓ અને દાયરો લોકોને આકર્ષિત કરે છે. ખગોળશાસ્ત્રી આ સમજવા માટે પુરાવા એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યાં છે કે પૃથ્વી બહાર જીવન હોઇ શકે છે અને તેની ઉત્પત્તિ પૃથ્વી પર થઇ નથી.
અલગ-અલગ રીતે થાય છે આ ગ્રહોની પ્રણાલી
સંશોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવા પરિણામ પરથી સંકેત મળે છે કે સૂર્ય જેવા સિંગલ તારાની તુલનામાં ગ્રહોની પ્રણાલી બાઇનરી તારાની આજુબાજુ ઘણી અલગ રીતે બને છે. કોપેનહેગન વિશ્વવિદ્યાલયના નીલ્સ બોહર સંસ્થાના પ્રોફેસર જેસ ક્રિસ્ટિયન જોર્ગેન્સન આ પરિયોજનાનુ નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે પરિણામ રોમાંચક છે, કારણકે આગામી વર્ષોમાં એલિયન જીવનનુ સંશોધન ઘણા નવા અને અત્યંત શક્તિશાળી ઉપકરણોથી સજ્જ હશે.