ઘણાં લોકોને રીંગણા ખાવા ખૂબ પસંદ હોય છે. લોકો તેને અલગ-અલગ રીતે પોતાના ડાયટમાં સામેલ કરે છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં લોકો રીંગણનું ભડથુ ખાવાનુ ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો દરેક સિઝનમાં મળતા રીંગણા આરોગ્ય માટે નુકસાનકારક થઇ શકે છે.
દરેક સિઝનમાં મળતા રીંગણા આરોગ્ય માટે નુકસાનકારક
કઈ-કઈ પરિસ્થિતિઓમાં તમારે રીંગણાનું સેવન ના કરવુ જોઈએ
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિએ પણ રીંગણાનુ સેવન ના કરવુ
ખરેખર, ઘણી આરોગ્ય સંબંધી પરેશાનીઓ એવી હોય છે, જેમાં રીંગણનું ભડથુ ખાવાથી તમારા આરોગ્યને નુકસાન થઇ શકે છે. જેનુ સેવન તમારી મુશ્કેલીઓ ખૂબ વધારી શકે છે. આવો જાણીએ છીએ કઈ મુશ્કેલીઓ થવાથી તમારે રીંગણા ખાવાથી બચવુ જોઈએ.
એલર્જી થવાથી
જો તમારી બૉડીમાં કોઈ પણ પ્રકારની એલર્જીની સમસ્યા છે તો તમારે રીંગણા ના ખાવા જોઈએ. કારણકે રીંગણા તમારી એલર્જીની પરેશાનીને વધુ વધારી શકે છે. જો તમારી આંખોમાં પણ કોઈ પણ પ્રકારની પરેશાની થાય તો પણ રીંગણાનું સેવન ના કરવુ જોઈએ.
ડિપ્રેશન
જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પસાર થઇ રહ્યાં છો તો રીંગણાથી દૂર રહેવુ જોઈએ. ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ મોટાભાગની દવાઓનું સેવન કરે છે. તેથી જો તમે રીંગણાનુ સેવન કરશો તો દવાઓની અસર ઘટી જશે.
બવાસીર
જે લોકોને હરસની સમસ્યા છે તે લોકોએ પણ રીંગણનુ સેવન ના કરવુ જોઈએ. જો તમે રીંગણનુ સેવન કરશો તો બની શકે છે કે તમારી પરેશાની વધે.
પથરીની સમસ્યા હોવાથી
પથરીની સમસ્યામાં પીડિત વ્યક્તિને ખાવાપીવાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. તબીબોના જણાવ્યાં મુજબ, રીંગણમાં ઓક્સિલેટ આવે છે, જે કિડની માટે નુકસાનકારક છે. તેથી તમારે રીંગણાનુ સેવન ના કરવુ જોઈએ.
પ્રેગનન્સી વખતે
પ્રેગનન્સી દરમ્યાન રીંગણાનુ સેવન ના કરવુ જોઈએ. ખરેખર, ગર્ભાવસ્થા દરમ્યાન રીંગણાનુ સેવન કરવાથી ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે નુકસાનકારક છે.