કેટલાક લોકો થોડા પૈસાનું રોકાણ કરીને પણ કરોડપતિ બની જાય છે. પરંતુ કેટલાક લોકો રોકાણમાં બધું ગુમાવીને કંગાળ પણ થઈ જાય છે.
હસ્તરેખાશાસ્ત્રમાં છે તેની જાણકારી
કેવા લોકો કરે છે રોકાણમાં કમાણી
આવા લોકો રોકાણમાં બની જાય છે કંગાલ
લોકો તેમના ભવિષ્ય વિશે ચિંતિત હોય છે અને માટે જ રોકાણ કરે છે. જેથી તેમનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત રહે. પરંતુ રોકાણ કરીને મજબૂત નફો મેળવવો એ દરેક માટે સરળ નથી હોતું. તેના માટે દૂરદર્શિતા, બજારને સમજવું અને ગણતરીપૂર્વકનું જોખમ લેવા જેવી ઘણી કુશળતાની જરૂર છે.
આ સિવાય ભાગ્યનો સાથ પણ જરૂરી છે. હસ્તરેખાશાસ્ત્ર એ આ જાણવાની રીત જણાવી છે કે કયા લોકોને રોકાણમાં નફો મળશે અને કયા લોકોને નુકસાન થશે.
હાથ પરની રેખાઓ જણાવે છે કે તમે રોકાણમાં કમાશો કે ગુમાવશો?
હાથ પર કેટલીક રેખાઓ હોય છે જે દર્શાવે છે કે વ્યક્તિ પ્રોપર્ટી, શેર, સોનું અથવા અન્ય રીતે કરેલા રોકાણથી લાભ કે ખોટ કરશે.
જે લોકોના હાથમાં વેપારની રેખા બુધ પર્વતની નીચે આવે છે. આ સાથે જો તે સ્પષ્ટ છે, તો આવા લોકો રોકાણમાંથી સારૂ વળતર મેળવે છે.
જો હથેળીમાં જીવન રેખા સ્પષ્ટ હોય અને શુક્ર પર્વત પર બોક્સ જેવો આકાર બનેલો હોય તો આવા લોકોને પણ રોકાણથી ફાયદો થાય છે.
જે લોકોના હાથમાં ચંદ્ર પર્વત પરથી બે રેખાઓ નીકળે છે અને ભાગ્ય રેખા પર મળે છે તો એવા લોકોને રોકાણના કામમાં પણ ઘણી સફળતા મળે છે. આવા લોકો મોટા શેર ટ્રેડર્સ પણ હોઈ શકે છે.
જે લોકોના હાથમાં ગુરુ પર્વત પર બોક્સ બને છે. તેઓ શેરબજારમાંથી ખૂબ જ કમાણી કરે છે. પરંતુ જો બોક્સ તૂટેલું હોય તો નુકસાન થાય છે.