હસ્તરેખા વિજ્ઞાનમાં અલગ-અલગ પ્રકારની રેખાઓનુ વિસ્તારથી વર્ણન મળે છે, પરંતુ તેમાં જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હૃદય રેખાને મુખ્ય ત્રણ રેખા માનવામાં આવી છે. આ સાથે ભાગ્ય રેખા અને મંગળ રેખાઓ પણ હાથમાં મળે છે.
હસ્તરેખા વિજ્ઞાનમાં અલગ-અલગ પ્રકારની રેખાઓનુ મળે છે વર્ણન
ભાગ્ય રેખા અને મંગળ રેખાઓ પણ હાથમાં મળે છે
જાણો દરેક રેખાઓ કેવા સંકેત આપે છે
બેમુખી રેખાઓનો જીવનમાં વ્યાપક અસર પડે છે
અનેક હાથમાં રેખાઓ બેમુખી હોય છે. બેમુખી રેખાઓનો જીવનમાં વ્યાપક અસર પડે છે. જેમાંથી એક છે જીવન રેખા. બેમુખી જીવન વ્યક્તિના વિવાહનો સંકેત પણ આપે છે. બહારની બાજુ જીવન રેખામાંથી નિકળેલી રેખા વ્યક્તિની દૂર રાજ્ય અને બિલ્કુલ અલગ સંસ્કૃતિમાં લગ્નનો સંકેત હોય છે. આવા જાતકોની આજીવિકા પણ ઘરથી દૂર હોય છે. આ રીતે જો શાખા અંદરની બાજુ છે તો લગ્ન બિલ્કુલ નજીક થાય છે અને પોતાની આવક પણ ઘરની નજીક રહીને કમાય છે.
આવા જાતકો ક્યારેય કોઈનો હસ્તક્ષેપ ચલાવતા નથી
જો જીવન રેખાા અને મગજની રેખા ઉપરથી અલગ-અલગ હોય તો આવા જાતકો પોતાનુ કામ જાતે કરે છે. આવા જાતકો બીજા લોકોનો હસ્તક્ષેપ ક્યારેય પણ ચલાવતા નથી. તેમનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હોય છે. તેમનો સામાજીક દાયરો ખૂબ નાનો હોય છે.
આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે
જીવન રેખાને નીચેની બાજુએ કાપનારી રેખાઓ વ્યક્તિના સ્વાસ્થ્યનો સંકેત આપે છે. આ રેખાઓ જે ઉંમરમાં જીવન રેખા કાપે છે તે ઉંમરમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.
જાણો જીવન રેખા શુ જવાબ આપે છે
હાથમાં જીવન રેખા માણસના જીવન અંગે ઘણા સવાલોનો જવાબ આપે છે. જો હાથમાં જીવન રેખા બેમુખી છે અને બીજી શાખા બહારની બાજુ હોય તો આવા લોકો વિદેશ જઇને સ્થાયી રીતે ત્યાં રહી જાય છે, પરંતુ જો જીવન રેખામાંથી નિકળેલી બીજા શાખા અંદરની બાજુ હોય તો આવા લોકો વિદેશ જાય છે, પરંતુ નિશ્ચિત સમય બાદ પૈસા કમાઈને પાછા આવી જાય છે.