લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાદથી ભરપૂર લસણનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં લસણનું હોય છે વધારે મહત્વ
વધુ માત્રામાં લસણનું સેવન થાય શકે છે હાનિકરાક
ચાર મોટી સમસ્યાઓને લસણનું સેવન આપે છે આમંત્રણ
લસણ ભારતીય રસોડામાં હોવું જરૂરી છે. જો સામાન્ય રેસીપીથી લઈને મસાલેદાર રેસીપીમાં લસણ ન હોય તો તેનો સ્વાદ ઓછો થવા લાગે છે. લસણનો ઉપયોગ માત્ર વિવિધ વાનગીઓ બનાવવામાં જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોથી છુટકારો મેળવવા માટે પણ થાય છે.ઔષધીય ગુણોથી ભરપૂર લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અસર ગરમ હોય છે, જેના કારણે લોકો ઠંડીમાં વધુ માત્રામાં તેનું સેવન કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણનું સેવન કેટલાક લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
સામાન્ય રીતે આયુર્વેદમાં કહેવાયું છે કે સવારે લસણની થોડીક કાચી કળીનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. પરંતુ ક્યારેક તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાણો કયા લોકો માટે લસણ હાનિકારક સાબિત થઈ શકે છે.
લોહીને કરે છે પાતળું
વધુ પડતું લસણ ખાવાથી સૌથી ગંભીર આડઅસર થાય છે રક્તસ્રાવ પર, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હોય અથવા તમે બ્લડ થિનર્સ લેતા હોવ તો લસણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે લસણમાં એન્ટિથ્રોમ્બોટિક ગુણધર્મો છે, જેનો અર્થ છે કે તે લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવી શકે છે. તેથી, જો તમે આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો એકવાર ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
એસિડિટીની સમસ્યા
જો કોઈ વ્યક્તિને એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું અથવા પેટમાં દુખાવાની સમસ્યા હોય તો તેણે લસણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમાં ફ્રક્ટન્સ નામનું તત્વ હોય છે. તેથી જ્યારે લોકો ઉચ્ચ-ફ્રુક્ટેન ખોરાક ખાય છે, તો તે નાના આંતરડામાં સંપૂર્ણ રીતે શોષાય નથી, જે પાચન સમસ્યાઓનું કારણ બને છે.
હાર્ટ બર્ન
જો તમે ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ રોગ (GERD) થી પીડિત છો, તો તમારે લસણનું સેવન કરતા પહેલા વિચારવું જોઈએ. ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ રોગમાં પેટનો એસિડ ખોરાકની નળીમાં બેકઅપ થાય છે, જેના કારણે ઈંડાઈજેશનની સમસ્યા થાય છે. આ સાથે હાર્ટબર્નની સમસ્યા પણ થઈ જાય છે. તેથી, જો તમે આ રોગમાં લસણનું સેવન કરો છો, તો તમારી બીમારી વધુ વધી શકે છે.
લો બ્લડ પ્રેશર
આયુર્વેદ અનુસાર જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે. તેમના માટે સવારે લસણની 1-2 કળી ખાવાથી ફાયદો થાય છે. તેનાથી વિપરિત જે લોકોને બીપીની સમસ્યા હોય એટલ કે લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે લસણનું સેવન ટાળવું જોઈએ. કારણ કે આ તમારા લોહીના પ્રવાહને ધીમું કરશે, જે તમારું બ્લડ પ્રેશર વધુ ઘટાડશે.