આજકાલ ગ્રીન ટી એ રોજ બરોજના પીણામાં સામેલ થઈ રહી છે ત્યારે તમને જણાવી દઈએ કે, ગ્રીન ટીએ એક કપ રોજ પીવો તો સારું. વધીને બે કપ. પણ જો તમે એનાથી વધારે ગ્રીન ટી પીવો છો તો એ તમારી હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એમાં અમુક લોકોએ તો ગ્રીન ટીનો ઉપયોગ ટાળવો જ જોઈએ. આવો જાણી લઈએ કોણે ન પીવી જોઈએ ગ્રીન ટી
ગ્રીન ટીમાં કેફેન હોય છે જે હાનીકારક છે
ગર્ભવતી મહિલાઓએ ઉપયોગ ટાળવો
બીપી અને સુગરના પેશન્ટ પણ સંભાળવું
ગર્ભવતી મહિલાઓ
પ્રેગનેન્ટ મહિલાઓએ ગ્રીન ટીનો વપરાશ ટાળવો જોઈએ. ગ્રીન ટીમાં કેફિન હોવાને કારણે ગર્ભના વિકાસ ઉપર આડ અસર થઈ શકે છે. ગર્ભાવસ્થાના પાછળના સ્ટેજમાં તકલીફ પડી શકે છે. કોઈ પણ વસ્તુ કે જેમાં કેફિન હોય તે ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઈએ.
એનેમિક
જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેમણે ખાસ ગ્રીન ટી ટાળવી જોઈએ કારણ કે ગ્રીન ટીને કારણે ખોરાકમાંથી આર્યનનું શોષણ કરવાની તાકાત ઘટી જાય છે. જેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.
ઈન્સોમ્નિઆ
ઈન્સોમ્નિઆ એટલે અનિદ્રાની બીમારી. જો તમે ઊંઘની બિમારીથી પીડાતા હોવ અથવા આ માટે કોઈ પણ મેડિસીન લેતા હોવ તો તમારે ગ્રીન ટી ક્યારેય ન પીવી જોઈએ. કેમ કે, ગ્રીન ટીના કન્ટેન્ટથી કેમિકલ રિએક્શન ઓલ્ટર થઈ શકે છે જે તમારા સ્વાસ્થય માટે ખતરનાક છે.
ડાયાબિટીસ અને બ્લડપ્રેશર
જો તમને ડાયાબિટીસ અથવા બ્લડપ્રેશરની તકલીફ હોય તો તમારે ગ્રીન ટી ન પીવી જોઈએ. આ અંગે કોઈપણ ડોક્ટરની સલાહ લઈ શકાય. ગ્રીન ટી તમારા બ્લડ સુગર લેવલમાં ઈન્ટર ફેસ કરી શકે છે તેને કારણે ચક્કર આવવા, જીવ ગભરાવવો જેવી તકલીફ થઈ શકે છે.