દેશના ઘણા હિસ્સામાં કોરોના સંક્રમણ બાદ મ્યૂકરમાઇકોસિસનો શિકાર બની રહ્યાં છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આ રોગથી લોકોના મોત પણ નિપજ્યા છે.
કોને થઇ શકે છે મ્યૂકરમાઇકોસિસ
સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને આપી જાણકારી
મ્યૂકરમાઇકોસિસને બ્લેક ફંગસ પણ કહેવાય છે
આવા માહોલ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે બ્લેક ફંગસને લઇને કેટલીક જાણકારીઓ આપી છે. તેમણે આ લક્ષણની સાથે સાથે તે પણ સલાહ આપી છે કે આ રોગથી બચવા માટે શું કરવુ જોઇએ.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, જાગૃતતા અને જલ્દી આ રોગની ઓળખાણ થઇ જાય તો તેને ફેલાતા રોકી શકાય છે. તેમણે ટ્વિટર પર ચાર સ્લાઇડ શૅર કરી છે અને ઘણી જાણકારી શૅર કરી છે. સરકારે કહ્યું છે કે, મ્યૂકરમાઇકોસિસને કાબૂ કરવા માટે ઘણા પગલા ઉઠાવવાની જરૂર છે. તેના ઇલાજ માટે Amphotericin B ની ઉપલબ્ધતા કરાવી આપવામાં આવશે. મ્યૂકરમાઇકોસિસના ઇલાજ માટે લોકો આ દવાનો ઉપયોગ કરી રહ્યાં છે.
શું છે બ્લેક ફંગસ કે મ્યૂકરમાઇકોસિસ
સ્વાસ્થ્ય મંત્રી તરફથી જણાવવામાં આવ્યું છે કે આ એક ફંગલ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ગ્રસિત લોકોની પર્યાવરણીય રોગાણુઓથી લડવાની ક્ષમતાને ઓછી કરી દે છે.
ક્યા લોકોને આ રોગ થવાની સંભાવના છે
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન તરફથી કહેવામાં આવ્યું છે કે એવા લોકો કે જે બીજી ગંભીર બિમારીઓથી ગ્રસ્ત છે અથવા તો વોરિકોનાઝોલ થેરાપી લઇ રહ્યાં છે કે વધારે સ્ટેરોઇડનો ઉપયોગ કરી રહ્યાં છે તેમને આ પ્રકારની બિમારી થવાની સંભાવનાઓ છે.
રોગના લક્ષણ
સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ રોગથી ગ્રસ્ત લોકોના આંખ કે નાક પાસે લાલ નિશાન દેખાવા લાગે છે અને દુઃખાવો પણ થાય છે. તે સિવાય તાવ, માથાનો દુખાવો. શ્વાસ લેવામાં તકલીફ અને લોહીની ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
શું કરશો અને શું નહી
સ્વાસ્થ્ય મંત્રી તરફથી કહેવામાં આવેલી એક સ્લાઇડમાં કહેવામાં આવ્યું છે કે હાઇપરગ્લાઇકેમિયાને નિયંત્રણમાં રાખવામાં આવે. ડાયબિટીઝના દર્દીઓ કે જે કોવિડના સંક્રમણમાં આવ્યા છે તો ડિસ્ચાર્જ થયા બાદ ગ્લુકોઝ લેવલ પર ધ્યાન રાખે. એન્ટીબાયોટીક કે એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ ધ્યાનથી કરવો જોઇએ