મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એવું રહસ્યમયી ગામ છે જ્યાં સુરજની કિરણ કે કોરોના વાયરસ કંઇ પહોંચી શક્યું નથી.
પાતાળમાં વસેલું છે ભારતનું આ ગામ?
સૂર્યના કિરણો પણ પહોંચતા નથી
1 પણ કોરોના કેસ નોંધાયો નથી
1 પણ કોરોના કેસ નહી
આ ગામમાં અત્યાર સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. છિંદવાડા જિલ્લાના રહસ્યમયી ગામ પાતાલકોટમાં ઔષધિના છોડનો ખજાનો છે. આ ક્ષેત્રમાં ચારેબાજુ પહાડ છે જેના કારણે સીધો તડકો પણ આવી શકતો નથી.
ક્યાં છે પાતાલકોટ?
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 250 કિમી દુર સતપુડાના પહાડોમાં પાતાલકોટ વસેલું છે. જેમાં 21 ગામ છે પરંતુ 12 ગામ જ વ્યવસ્થિત રીતે વસેલા છે. બીજા ગામમાં કેટલીક ઝૂંપડીઓ છે અને ત્યાં ભૂરિયા જનજાતિના લોકો વસેલા છે.
લોકો વચ્ચે છે આ મિથ
માન્યતા અનુસાર માતા સીતા આ સ્થાને ધરતીમાં સમાઇ ગયા હતા. જ્યારે અન્ય લોકો કહે છે કે રામાયણના સમયમાં હનુમાનજી પણ અહિરાવણની ચંગુલથી બચીને આ રસ્તેથી પાતાળલોક ગયા હતા.
બપોરે સાંજનો અનુભવ
ધરતીથી 3000 ફૂટ નીચે વસેલા પાતાલકોટના આ ગામમાં બપોરના સમયે સાંજનો અહેસાસ થઇ જાય છે કારણકે અહી સીધો તડકો આવતો નથી. કેટલાક વર્ષો પહેલા ગામના લોકો ઉંડા હિસ્સાથી ઉપર આવીને વચી ગયા હતા, જે બાદ અહી 4-5 કલાક સુધી તડકો આવે છે. કેટલાક ગામમાં તો ક્યારેય તડકો આવતો નથી.
આ ગામોમાં નથી પહોંચ્યો કોરોના
સમગ્ર દેશમાં જ્યારે દોઢ વર્ષથી વધારે સમયથી કોરોના વાયરસનો કહેર યથાવત છે પરંતુ પાતાલકોટના આ ગામોમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. બ્લોક મેડિકલ ઓફીસરે કહ્યું કે, આજ સુધી આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. તે પાછળ મોટું કારણ તે પણ છે કે બહારના લોકોનું અહી પહોંચવું મુશ્કેલ છે.
રસ્તા હોવા છતાં નથી જતા લોકો
કેટલાક વર્ષ પહેલા પાતાલકોટના ગામોથી બહાર જવા માટે માત્ર દોરડાનો સહારો હતો પરંતુ હવે ગામમાં જવા માટે રસ્તો બની ગયો છે તેમ છતાં આ ગામ સુધી પહોંચવું મુશ્કેલ કામ છે.