શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરૂ થશે. કહેવાય છે કે આ મહિનામાં સાચા મનથી મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમારી મનોકામના જરૂર પુરી થશે
29 જુલાઇથી શરૂ થતો શ્રાવણ મહિનો 27 ઓગસ્ટ સુધી ચાલશે.
સોમવારના વ્રત અને શિવજીની પૂજા કરતાં સમયે થોડી વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી
શ્રાવણ મહિનામાં દૂધ પીવાનું ટાળવું જોઈએ
શ્રાવણ મહિનો જલ્દી જ શરૂ થવા જઈ રહ્યો છે એવામાં જો ભગવાન શિવને ખુશ કરવા હોય તો આ મહિનો શ્રેષ્ઠ છે. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને મહાદેવન ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે. શ્રાવણ મહિનામાં આસપાસનો માહોલ ઘણો પવિત્ર થઈ જે છે અને દરેક લોકો શિવની ભક્તિમાં લીન રહે છે. શિવજીનો અભિષેક કરે છે અને તેની પૂજા-અર્ચના કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થશે. કહેવાય છે કે આ મહિનામાં સાચા મનથી મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમારી મનોકામના જરૂર પુરી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રાવણ મહિનામાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવાના તમામ જ્યોતિષી ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.
29 જુલાઇથી શરૂ થતો શ્રાવણ મહિનો 27 ઓગસ્ટ સુધી ચાલશે. આ મહિનામાં પડતાં સોમવારના વ્રત અને શિવજીની પૂજા કરતાં સમયે થોડી વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. નહીં તો એક નાની એવી ભૂલને કારને ભોલેનાથ ગુસ્સે થઈ શકે છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપવાને બદલે તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
શ્રાવણ મહિનામાં ન કરો આ ભૂલ
- શ્રાવણ મહિનામાં ભૂલથી પણ નોનવેજ ખાવાની ભૂલ ન કરતાં. આ મહિનામાં કોઈ પણ પ્રકારના નશાથી કરવાથી પણ દૂર રહેવું જોઈએ. ત્યાં સુધી કે શ્રાવણ મહિનામાં લસણ-ડુંગળી ખાવાની પણ મનાઈ હોય છે. આ આખા મહિનામાં સાત્વિક ભોજન કરવું જોઈએ. ખાસ કરીને આ મહિનામાં રીંગણ અને મૂળા જેવ શાકભાજી ન ખાવા જોઈએ.
- શ્રાવણ મહિનામાં દૂધ પીવાનું ટાળવું જોઈએ કારણ કે દૂધથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે.
- શ્રાવણ મહિનામાં ખોટ કામો અને ખોટ વિચારોથી બચીને રહેવું જોઈએ. સાથે જ તમારા ગુરુ, પરિવાર કે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ.
- આ મહિનામાં તમારા ઘર પાસે આવેલ જરૂરિયાતમંદોને ક્યારેય ખાલી હાથે ન જવા દેવ જોઈએ. સાથે જ કોઈ પણ પ્રાણી તમારા ઘર પાસે આવે તેને ભૂખ્યા પાછા ન મોકલવા જોઈએ.
- શિવજીની પૂજા કરતાં સમયે એમને હળદર કે સિંદુર અર્પિત ન કરતાં.