નવજાત બાળકની માતાએ ખુબ ખાસ રીતે પોતાના બાળકની કેર કરવી પડે છે. તેની ખાણી પીણીથી લઇને તેના પહેરવેશ સુધી દરેક નાની નાની બાબતોનુ ધ્યાન રાખવુ પડે છે. કેમકે નાના બાળકને તરત જ કોઇ વસ્તુનુ રિએક્શન થઇ શકે છે. તેના આરોગ્ય પર તેની અસરપડે છે. ઘણી વાર મહિલાઓ એવી ભુલો કરે છે જેની સીધી અસર બાળકની હેલ્થ પર પડી શકે છે. તેમાંથી એક ભુલ છે પાવડર લગાવવાની. જો તમે પણ તમારા નાના બાળકને પાવડર લગાવતા હોય તો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
નવજાત શિશુની કેર કરવી કેમ જરૂરી?
બાળકની સ્કિન પર એલર્જી થવાનું મુખ્ય કારણ
બાળકને પાવડર લગાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન
બાળકની સ્કિન પર એલર્જી થવાનું મુખ્ય કારણ
નવજાત બાળકની સ્કીન ખુબ નાજુક હોય છે. તેની સ્કીન પર કોઇ પણ વસ્તુનુ રિએક્શન ખુબ જલ્દી આવે છે. જો તમારા બાળકના શરીર પર લાલ નિશાન પડી રહ્યા હોય કે ઝીણી ફોડલીઓ જેવુ થતુ હોય તેને પાવડર ન લગાવો. જો બાળકોની સ્કીન પર વધુ પાવડર લાગી જાય તો પણ શરીર પર એલર્જી થઇ જાય છે. સૌથી મોટી ભુલ માતાઓ ત્યારે કરી બેસે છે જ્યારે બેબી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી નથી. આ કારણે બાળકોની સ્કીન પર રેશિસ થઇ જાય છે. બાળકો પર બેબી પ્રોડક્ટ્સ એટલા માટે લગાવવામાં આવે છે કેમકે તે ખાસ બાળકો માટે બનેલી હોય છે.
બાળકને પાવડર લગાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન
બાળકોને પાવડર લગાવતી વખતે જો તમે પફનો ઉપયોગ કરતા હો તો તે તમારી ભુલ છે. પફ પાવડર બાળકની આંખમાં પણ જઇ શકે છે. તેના ચહેરા પર ક્યારેય પફથી પાવડર ન લગાવો. આ કારણે ઘણા નુકશાન પણ થઇ શકે છે. બાળક નાહીને બહાર આવે અને તરત તેની પર પાવડર ન લગાવો. ભીની ત્વચા પર જામેલો પાવડર ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. આ કારણે બાળકોને સ્કીન સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે. બાળકોના ઇન્ટરનલ પાર્ટ પર પાવડર ન લગાવો કેમકે તે ખુબ જ નાજુક હોય છે અને તેનાથી બાળકને એલર્જી પણ થઇ શકે છે.