નવરાત્રિમાં નવદુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ હોય છે પરંતુ શું તમે જાણો છો કે દેવીના અંદર માત્ર શક્તિ જ નહી ઔષધિઓ પણ રહેલી છે. નવદુર્ગાની 9 શક્તિઓ 9 પ્રકારની ઔષધિઓનું પ્રતિક છે.
નવ માતા સાથે જોડાયેલી છે 9 ઔષધિ
રોગોના રક્ષણ માટે જાણીતી છે ઔષધિ
ઔષધિને દુર્ગાકવચ પણ કહેવામાં આવે છે
ભગવતી દુર્ગા પુરાણમાં આ 9 ઔષધિઓથી જોડાયેલી દેવીઓ વિશે જાણકારી મળે છે. દેવી દુર્ગાના 9 રૂપ માનવ જાતિની રોગોથી રક્ષા કરે છે. નવદુર્ગાના 9 ઔષધિ સ્વરૂપોને સર્વપ્રથમ માર્કણ્ડેય ચિકિત્સા પદ્ધતિના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. બ્રહ્માજી દ્વારા ઉપદેશમાં તેને દુર્ગાકવચ કહેવામાં આવ્યુ હતુ.
આ દવાઓ તમામ પ્રાણીઓના રોગોના રક્ષણ માટે જાણીતી છે. તેઓ માનવો માટે બખ્તર તરીકે કામ કરે છે અને આ કારણે તેનું નામ દુર્ગાકવચ છે. તેનો ઉપયોગ કરીને, વ્યક્તિની અકાળ મૃત્યુ ટળે છે.
શૈલપુત્રી (હરડ)
હિમાલયની પુત્રી શાલપુત્રીમાં હરડનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવુ માનવામાં આવે છે. ઔષધિ હરડ હિમાવતી છે અને આ આયુર્વેદની પ્રથમ ઔષધિઓમાંથી એક છે. આ ઔષધિ શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને તેને અમૃત સમાન માનવામાં આવી છે.
બ્રહ્મચારિણી (બ્રાહ્મી)
દેવીનુ બીજુ સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે અને તેમનાથી સંબંધિત ઔષધિ બ્રાહ્મી છે. જે આયુષ્ય અને યાદશક્તિ વધારવા માટેની ઔષધિ છે. મધુર સ્વર પ્રદાન કરવા આ દેવીને સરસ્વતિ સાથે પણ જોડવામાં આવે છે.
ચંદ્રઘંટા (ચંદુસૂર)
નવદુર્ગાનુ ત્રીજુ સ્વરૂપ છે ચંદ્રઘંટા, આ દેવીનો સંબંધ ચન્દુસૂર કે ચમસૂર ઔષધિ સાથે છે. આ એક છોડ છે જે ધાણાના છોડ જેવો હોય છે. આ ઔષધિ મેદસ્વિતા ઘટાડવા માટે મદદરૂપ છે. માટે તેને ચર્મહંતી પણ કહેવામાં આવે છે.
કુષ્માંડા (પેઠા)
નવદુર્ગાનુ ચોથુ સ્વરૂપ કુષ્માંડા છે. આ માતાજીનો સંબંધ પેઠા નામની ઔષધિ સાથે છે. પેછા નામની એક મિઠાઇ પણ બને છે. આ ઔષધિ રક્ત સંબંધિત અને પેટ સંબંધિત તકલીફો દુર કરવા માટે છે.
સ્કંદમાતા (અળસી)
નવદુર્ગાનું પાંચમુ રૂપ સ્કંદમાતાનું છે, તેમની સાથે અળસી નામની ઔષધિ જોડાયેલી છે, આ ઔષધિ પિત્ત, કફ કે વાત જેવા રોગોને મટાડવામાં મદદ કરે છે.
કાત્યાયની (મોઇયા)
નવદુર્ગાનુ છઠ્ઠુ સ્વરૂપ દેવી કાત્યાયનીનું છે, તેમનો સંબંધ મોઇયા નામની ઔષધિ સાથે છે. આ ઔષધિ કફ, પિત્ત અને ગળાના રોગો મટાડે છે. સાથે જ આ ગળાની બિમારી માટે અચૂક દવા માનવામાં આવી છે.
કાલરાત્રિ (નાગદૌન)
નવદુર્ગાનુ સાતમુ સ્વરૂપ કાળરાત્રિનું છે. દેવીનો સંબંધ નાગદૌન ઔષધિ સાથે છે. માનસિક બિમારીઓ માટેના વિકારોને દુર કરવાવાળી ઔષધિ માનવામાં આવે છે.
મહાગૌરી (તુલસી)
અષ્ટમીના દિવસે દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તુલસી સાત પ્રકારની હોય છે. તમામ તુલસી હ્રદય રોગ અને સંક્રમણથી બચાવે છે.
સિદ્ધિદાત્રી (શતાવરી)
દુર્ગાનું નવમુ સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે, અને તેમનાથી સંબંધિત ઔષધિ છે નારાયણી શતાવરી. આ ઔષધિ બુદ્ધિ, બળ માટે ઉત્તમ છે. તે સિવાય રક્ત વિકાર માટે
પણ ઉત્તમ છે.