હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીના શનિ પર્વત પરથી ભાગ્યોદયની જાણકારી મળે છે. હાથ પરની કેટલીક રેખાઓ સૂચવે છે કે વ્યક્તિનું ભાગ્યોદય ક્યારે થશે.
જીવનમાં મળવા લાગે છે પ્રસિદ્ધિ
શનિ પર્વતથી મળે છે ભાગ્યોદયનો સંકેત
ભાગ્ય રેખા પર દ્વીપનો નિશાન નથી શુભ
સામાન્ય રીતે દરેક વ્યક્તિના મનમાં એક જિજ્ઞાસા હોય છે કે તેની કિસ્મત ક્યારે ચમકશે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિનું નસીબ ખુલી જાય છે ત્યારે તેની પ્રગતિમાં ચાર ચાંદ લાગી જાય છે. ભાગ્યોદય પછી વ્યક્તિનું જીવન ઝડપથી બદલાવા લાગે છે. આવો જાણીએ હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીની કઈ રેખાઓ ભાગ્યનો સંકેત આપે છે.
હથેળીની આ રેખાઓ આપે છે ભાગ્યદયનો સંકેત
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હાથમાં મુખ્યત્વે ત્રણ રેખાઓ હોય છે. જેમાં જીવન રેખા, હૃદય રેખા અને મસ્તક રેખાનો સમાવેશ થાય છે. આ રેખાઓ દરેક વ્યક્તિના હાથમાં હોય છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ભાગ્યોદયનો સંબંધ શનિ પર્વત સાથે છે.
જો શનિ પર્વત પર ઉભી રેખાઓ હોય તો વ્યક્તિના ભાગ્યમાં અવશ્ય ઉન્નતિ થાય છે. શનિ પર્વત પર બે કે તેથી વધુ ઊભી રેખાઓ હોઈ શકે છે. બીજી તરફ જો શનિ પર્વત શુભ સ્થિતિમાં ન હોય તો પૈસા તો આવશે પણ પાસે ટકશે નહીં. આ સિવાય હાથમાં ભાગ્ય રેખા ન હોય તો પણ વ્યક્તિના કર્મ સારા હોય તો ભાગ્ય બદલાવા લાગે છે.
કેટલાક લોકોની હથેળીમાં મંગળના ક્ષેત્રમાંથી રેખાઓ નીકળે છે અને શનિ પર્વત સુધી પહોંચે છે. તેને ભાગ્ય રેખા કહેવાય છે. જો ભાગ્ય રેખા પર દ્વીપનું નિશાન હોય તો આવા લોકો ઘણી નોકરીઓ બદલી નાખે છે. તેમજ આવા લોકોને એક જગ્યા ટકીને નોકરી નથી કરી શકતા.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીમાં ભાગ્ય રેખા હોય અને ચંદ્ર પર્વતમાંથી નીકળતી રેખા જીવન રેખાને મળે આ ઉપરાંત જો ચંદ્ર પર્વતમાંથી કોઈ રેખા નીકળીને શુક્ર પર્વત સુધી પહોંચે છે તો વ્યક્તિનું ભાગ્ય બદલાવા લાગે છે. આ સિવાય હાથમાં ભાગ્ય રેખા છે અને જો મંગળ, બુધ અને ગુરુ પર્વત પર નાની રેખાઓ હોય તો તે સૌભાગ્યની નિશાની છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ધીમે ધીમે આગળ વધવા લાગે છે. જો કે મંગળના ક્ષેત્રમાંથી ઘણી રેખાઓ નીકળીને નીચે તરફ જાય તો વ્યક્તિના જીવનમાં સંઘર્ષ વધે છે.