સનાતન ધર્મમાં દાનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. વ્રત તહેવારનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે જરૂરિયાતોને દાન કરો છો.
આ ચીજવસ્તુઓનું ક્યારેય દાન ન કરવું
દરિદ્રતા આવતા વાર નહી લાગે
વાસી ભોજન ક્યારેય કોઇને ન આપવું
દાનમાં શું આપવું જોઇએ અને શું નહી તેને લઇને પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આજે આપણે એવી જ વસ્તુઓ વિશે જાણીશું જેનાથી તમને લાભ થાય. કઇ વસ્તું દાનમાં આપવી જોઇએ અને કઇ વસ્તું દાનમાં આપવાથી બચવી જોઇએ.
સ્ટીલના વાસણ
ક્યારેય પણ દાનમાં સ્ટીલના વાસણ ન આપવા જોઇએ. ખાસ કરીને યુઝ કરેલા વાસણો ન આપવા જોઇએ. આવું કરવાથી ઘરની સુખ શાંતિનો નાશ થાય છે. કદાચ તમારે કોઇને આપવા છે તો નવા વાસણ લઇને આપો.
પ્લાસ્ટિકની વસ્તુઓ
પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવાથી વ્યાપાર પર ખરાબ અસર પડે છે માટે ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓ દાન ન કરવી જોઇએ.
શાર્પ વસ્તુઓ
ક્યારેય પણ શાર્પ વસ્તુઓ જેમ કે છરી, ચપ્પા દાનમાં ન આપવી જોઇએ. તેનાથી પરિવારમાં ઝઘડા થાય છે.
સાવરણી
ઝાડુનું દાન કરવાથી ગરીબી ઘરમાં પ્રવેશ કરે છે. ક્યારેય પણ કોઇને સાવરણી ગિફ્ટ ન કરવી જોઇએ. જો તમારી સાવરણી ખરાબ થઇ ગઇ છે તો તેને ફેંકી દો.
વાસી ભોજન
એવી કોઇ ચીજ કે જે ખાવા લાયક નથી તો તેવી ભોજનની વસ્તુ કોઇને ક્યારેય પણ ન આપવી જોઇએ. હંમેશા તાજી અને સારી વસ્તુઓ જ દાનમાં આપવી જોઇએ.