IPL2020માં ચેન્નઇ સુપર કિંગ્ઝ પર જાણે ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. 19 સપ્ટેમ્બરથી સમાનાર IPLમાં ચેન્નઇ સુપર કિંગ્ઝના સ્ટાફમાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો અને સુરેશ રૈનાની ઘરવાપસી થઇ હતી.
ધોની જેવો રૂમ ન મળતા રૈના પરત
ધોની અને રૈના વચ્ચે થઇ તકરાર
CSKના માલિકે આપ્યુ નિવેદન
સુરેશ રૈના કેમ ભારત પરત આવ્યો તેને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે. પહેલા કહેવામાં આવ્યુ હતુ કે પઠાણકોટમાં સુરેશના પરિવાર પર હુમલો થતા તે પરત ફર્યા છે તો હવે તેવી અફવાઓ સામે આવી રહી છે કે સુરેશ રૈનાને ધોની જેવો રૂમ ન મળતા ભારત પરત ફર્યા છે.
રિપોર્ટ મુજબ ચેન્નઇ સુપર કિંગ્ઝના માલિક એન. શ્રીનિવાસે સુરેશ રૈનાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રૈના ખરાબ હોટલ રૂમ અને કોરોનાના ડરને લીધે ભારત પરત આવ્યા છે. ખરાબ રૂમને લઇને ધોની સાથે તેમનો વિવાદ થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.
8 ટીમ દુબઇ પહોંચી ગઇ છે અને કોરોનાને લઇને બનાવવામાં આવેલ પ્રોટોકોલને અમલમાં લાવવા માટે ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. બાદમાં રેના અને ધોની વચ્ચે હોટલ રૂમને લઇને તકરાર થઇ હતી, ધોનીએ રૈનાને મનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તે ભારત પરત આવી ગયા હતા