ભારતીય ખોરાકમાં અલગ-અલગ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આહારનો સ્વાદ વધારનારા આ મસાલા તમારા આરોગ્યને ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે. જેમાંથી અમુક મસાલા એવા છે, જેમાં વધારે પોષણ મૂલ્ય હોય છે અને વધુ કેલેરી બાળવામાં મદદ કરે છે.
ભારતીય મસાલા તમારા આરોગ્યને ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે
અમુક મસાલા તમારી કેલેરી બાળવામાં કરે છે મદદ
વજન ઘટાડવા માટે પણ તમે દરરોજ આ મસાલાનો ઉપયોગ કરી શકો છો
લસણ
વજન ઘટાડવા માટે તમે દરરોજના આહારમાં આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. લસણનો ઉપયોગ ભારતીય ફૂડમાં ખૂબ કરવામાં આવે છે. લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ એલિસિનમાં એન્ટીબેક્ટીરીયલ પ્રોપર્ટીજ હોય છે. લસણમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે જમા ફેટને બાળવામાં મદદ કરે છે.
હળદર
દાલ-શાકભાજી બનાવવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેન્સર વિરોધી, એન્ટીસેપ્ટિક અને વજન ઘટાડવાના ગુણો માટે ઓળખાય છે. હળદરમાં રહેલ કરક્યુમિન નામનુ એક કમ્પાઉન્ડ ઈન્સુલિન અને લેપ્ટિન પ્રતિરોધ સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. બંને ફેટ જમા માટે જવાબદાર છે. હલ્દી બ્લડ પ્રેશરને મેન્ટેન કરવામાં અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે.
ઈલાયચી
ઈલાયચીનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે કેલેરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. આ મસાલા પાચક ગુણોથી ભરપૂર હોય છે અને મેટાબોલિક એક્ટિવિટીને વધારવામાં મદદ કરે છે.