કોરોના મહામારી બાદ વિશ્વભરમાં ધનવાનની મિલકતોમાં વધારો થયો છે. દેશમાં પણ આ દરમ્યાન ફક્ત અબજપતિઓની સંપત્તિ વધી છે. પરંતુ તેની સંખ્યા પણ મોટી થઇ છે.
ભારતના અબજપતિઓને લઇને એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો
કોરોના મહામારી બાદ વિશ્વભરમાં ધનવાનની મિલકતોમાં થયો વધારો
દેશમાં 51 નવા અબજપતિ બન્યા, અબજપતિઓની સંખ્યા 250થી વધી
દેશમાં 51 નવા અબજપતિ બન્યા
Hurunની એક તાજા રિપોર્ટ મુજબ ગયા વર્ષે દેશમાં 51 નવા અબજપતિ બન્યા. આ સાથે દેશમાં જ્યારે અબજપતિઓની સંખ્યા 250થી વધી ગઇ છે. હવે અબજપતિઓ મામલે ભારતથી આગળ ફક્ત અમેરિકા અને ચીન છે. Henley & Partners એ પણ ભારતના અબજપતિઓને લઇને એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા ભારતીય શહેરોમાં કેટલા અબજપતિ રહે છે. આ રિપોર્ટ મુજબ દેશના ફાયનાન્શિયલ કેપિટલને સૌથી વધુ અબજપતિ પસંદ કરે છે. એકલા મુંબઈમાં 31 અબજપતિ અને 249 કરોડપતિ રહે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2031 સુધી મુંબઈમાં હાઈ નેટવર્થ ઈન્ડીવિઝ્યુલ્સની સંખ્યા 80 ટકા વધવાનુ અનુમાન છે.
શ્રીમંતોની પાસે 1000 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ
જે શ્રીમંતોની પાસે 1 બિલિયન ડૉલર એટલેકે 1000 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ હોય છે, તેને અબજોપતિ કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી ધનકુબેરોની પસંદના મામલે બીજા સ્થાને છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 કરોડપતિ અને 2000થી વધુ કરોડપતિ અને 30,500 HNWI રહે છે. દિલ્હી પહેલા કોલકત્તા ભારતની રાજધાની હતી. આ જૂના શહેરને અમુક લોકો ભારતની સાંસ્કૃતિક રાજધાની પણ કહે છે. આ શહેરમાં અત્યારે 6 અબજોપતિ અને 50 કરોડપતિ રહે છે. આ સિવાય શહેરમાં 800થી વધુ HNWI પણ રહે છે.
ગુજરાત અબજોપતિઓની યાદીમાં નથી
આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા દિગ્ગજ વ્યાપાર આપનારું રાજ્ય ગુજરાત આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. આ રીતે ઉત્તર ભારતથી પણ દિલ્હી-એનસીઆરને છોડી દઇએ તો કોઈ અન્ય શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે.