પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજની કોરોના સમીક્ષા બેઠકમાં નિર્દેશ આપ્યો કે SERO સર્વે અને કોવિડ પરીક્ષણની ગતિ વધુ વધારવી જોઈએ. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માટે આપણે ટેસ્ટિંગ સુવિધાઓ વધુ સરળ અને સસ્તી બનાવવી પડશે.
ભારતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા યોજાઇ હતી બેઠક
બેઠકમાં પીએમ મોદી એ કોરોના વેક્સિનની સ્થિતિની પણ સમીક્ષા કરી
આરોગ્ય પ્રધાન ડો હર્ષવર્ધન સહિત નીતિ આયોગના અધિકારીઓ હાજર હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસી સંશોધન અને વિતરણ સંબંધિત સિસ્ટમો પર સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન અને નીતિ આયોગના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર સહિત અન્ય વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પણ હાજર હતા. મીટિંગ દરમિયાન ટેસ્ટિંગની ટેક્નિકસ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, અને દવાઓને લઈને પણ ચર્ચા થઈ હતી.
ભારતીય વેક્સિન ઉત્પાદકોની પ્રશંસા કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ કોરોના સામેના પ્રયત્નો બદલ ભારતીય રસી ઉત્પાદકોની પ્રશંસા કરી હતી. તેમણે રસી ઉત્પાદનમાં સરકાર તરફથી મદદની ખાતરી પણ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આરોગ્ય મંત્રી પાસેથી રસી વિતરણ સંબંધિત સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આમાં રસીના સ્ટોકથ લઈને સામાન્ય લોકો સુધી રસી પહોંચાડવાની આખી સિસ્ટમ તેમને જણાવાઈ હતી.
SERO સર્વે અને કોવિડ પરીક્ષણની ગતિ વધારવા પર મૂક્યો ભાર
પ્રધાનમંત્રી મોદી એ નિર્દેશ આપતા કહ્યું હતું કે SERO સર્વે અને કોવિડ પરીક્ષણની ગતિમાં વધુ વધારો કરવામાં આવે. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માટે આપણે પરીક્ષણ સુવિધાઓને વધુ સરળ અને સસ્તી બનાવવી પડશે. તેમણે પરંપરાગત દવાઓની સારવાર માટે સતત વૈજ્ઞાનિક સંશોધન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કોરોના સમયગાળા દરમિયાન વધુ સારા કાર્ય માટે આયુષ મંત્રાલયને પણ પ્રોત્સાહન આપ્યું.
આરોગ્ય મંત્રીએ રસી સંબંધિત માહિતી આપી છે
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન દ્વારા દેશમાં કોરોના રસીથી સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવાઈ હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, ડો.હર્ષવર્ધન ને કહ્યું હતું કે કોરોના રસી આવતા વર્ષના પ્રારંભમાં આવી શકે છે. આ માટે ઝડપી કામગીરી ચાલી રહી છે. કોરોના રસી કોને પ્રથમ મળશે, નિષ્ણાત જૂથે પણ આ માટે એક વ્યૂહરચના બનાવી છે.