દાંતની યોગ્ય રીતે સફાઈ ન કરવા પર પાયોરિયાની સમસ્યા થાય છે. આ સાથે જ પેટ બરાબર સાફ ન થવું, લીવરમાં ખરાબી, તમાકુ, પાનમસાલાનું સેવન, વિટામિન સીની કમીને કારણે પેઢાના રોગો થાય છે. તેના કારણે દાંત નબળાં થઈ હલવા લાગે છે. આ સમસ્યામાં દવાઓ કરતાં જો ઘરેલૂ ઉપાયો કરવામાં આવે તો તરત ફાયદો થાય છે. તો ચાલો જાણી લો પાયોરિયાના ઉપાય.
પાયોરિયા થવાના લક્ષણ
તેના કારણે પેઢામાં દુખાલો, સોજો, લોહી નીકળવું, મોંમાંથી દુર્ગંધ આવવી જેવી સમસ્યા થાય છે.
દેશી ઉપાય
લીમડો
કડવા લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેના પાનનો રસ કાઢીને પેઢા પર લગાવી 5 મિનિટ બાદ નવશેકા પાણીથી કોગળા કરી લો. દિવસમાં 2વાર આ ઉપાય કરવાથી પાયોરિયા જડથી દૂર થઈ જાય છે.
તેલ માલિશ
નારિયેળ, તલ અથવા લવિંગના તેલથી પેઢા પર હળવા હાથે મસાજ કરવામાં પણ ફાયદો મળે છે. આનાથી મોઢામાં રહેલાં બેક્ટેરિયા પણ સાફ થઈ જાય છે. આના માટે કોઈપણ તેલને 10-15 મિનિટ પેઢા પર મસાજ કરો. પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.
મીઠું
મીઠામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. આ પાયોરિયાની સમસ્યામાં તરત આરામ આપે છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં 2વાર આ પાણીથી કોગળા કરો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.
હળદર
હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. એવામાં આ પાયોરિયાની સમસ્યાને ઠીક કરે છે. તેના માટે હળદરમાં થોડાં ટીપાં પાણીના મિક્સ કરીને પેઢા પર મસાજ કરો. પછી પાણીથી કોગળા કરી લો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.