પાચનતંત્રમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે. સારા અને ખરાબ. શરીરમાં જ્યારે સારા બેક્ટેરિયા ઘટવા લાગે છે ત્યારે પ્રોબાયોટિક વસ્તુઓ ખાવાથી પાચનતંત્રમા તેની સંખ્યા વધી જાય છે. ગેસ્ટ્રોઇંટેસટાઇનલ ટ્રેકમાં કરોડોની સંખ્યામાં સારા બેક્ટેરિયા હોય છે. જે ખરાબ બેક્ચટેરિયા સામે લડે છે અને તેની અસરને પણ ઓછી કરે છે.
પ્રોબાયોટિક ફુડ આંતરડાને નુકશાન પહોંચાડનાર બેક્ટેરિયાનો ગ્રોથ ઓછો કરે છે અને સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે. પ્રોબાયોટિક્સ એક પ્રકારના ફાઇબર છે. જે સારા બેક્ટેરિયાને વધારે છે અને આંતરડાને નુકસાન થતુ બચાવે છે. જોકે તે વધુ પ્રમાણમાં લેવાથી સમસ્યા થઇ શકે છે.
પ્રોબાયોટિક યુક્ત વસ્તુઓ લેવાથી આંતરડામા સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન જળવાઇ રહે છે. કેટલીક દવાઓ, એન્ટીબાયોટિક્સ, દુષિત આહારથી સારા બેક્ટેરિયા ઘટે છે. તેનાથી પાચન પણ બગડે છે અને જમવાનુ યોગ્ય રીતે પચતુ નથી. આંતરડામા ચાંદાસ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, મેદસ્વીતા જેવી સમસ્યા વધે છે.
પ્રોબાયોટિક્સમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય છે. જે દુધમા રહેલા લેક્ટોઝને લેક્ટિક એસિડમાં બદલી દે છે. આ કારણે દુધ દહીના રુપમા જામી જાય છે. આ ઉપરાંત છાસ, ફર્મેન્ટેડ ખાદ્યપદાર્થમાં પણ સારા બેક્ટેરિયા હોય છે. પ્રોબાયોટિકમાં જીવિત બેક્ટેરિયા હોય છે તે આંતરડામા સારા બેક્ટેરિયાનુ સંતુલન બનાવે છે. તેનાથી પાચન સારુ અને નિયમિત રહે છે. રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. પ્રોબાયોટિકમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન એ, બી સહિત ઘણા વિટામીન્સ હોય છે.
શું છે અન્ય ફાયદા
- એસિડીટી, પેટનો દુખાવો અને અપચાની સમસ્યામાં ફાયદાકારક છે.
- ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં મદદ મળે છે.
- પાચન યોગ્ય રહેવાથી વજન ઘટવામાં પણ મદદ મળે છે.
- બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડપ્રેશર પણ ઘટે છે
- નિયમિત પ્રયોગથી ત્વચાના રોગો અને એક્ને કે એગ્ઝીમામાં ફાયદાકારક છે.
શું છે પ્રોબાયોટિક્સના મુખ્ય સ્ત્રોત
બીન્સ, વટાણા, ઓટ્સ, કેળા, બેરીઝ, લસણ, ડુંગળીમાં પ્રોબાયોટિક્સ સૌથી વધુ મળી આવે છે. આ ઉપરાંત દહીં કે દહીંમાથી બનતી વાનગીઓ, લસ્સી પણ પ્રોબાયોટિક્સનો મુખ્ય સ્ત્રોત છે.