માણસના જીવનમાં ગીફ્ટની લેણ-દેણ કરવાનો રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ ગીફ્ટ લેવા સાથે પણ કેટલીક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. આવી ગીફ્ટ જો ભુલથી પણ સ્વીકારવામાં આવે તો ઘર પર અને પરીવારની મુખ્ય વ્યક્તિ પર કેટલાય પ્રકારની મુશ્કેલી આવી પડે છે. જેમકે કોઇ સિંહ વાઘ દીપડો ચિત્તો જેવા ખુંખાર પ્રાણીઓ તથા ડુબતુ વહાણનો ફોટો ચાકુ છરી જેવા હથીયારો સ્પ્રે કાળા રંગના કપડા જુતા રૂમાલ અને ઘડીયલ જેવી વસ્તુઓ ગીફ્ટમાં મળે તો ભુલથી પણ ના લેવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે શનિવારના દિવસે કોઇ ગીફ્ટની આપ-લે ના કરવી જોઇએ. આ દિવસે કોઇ વિષય પર ચર્ચા પણ ના કરવી જોઇએ. કોઇ મિત્રને આ દિવસે કાળા રંગની કોઇ ભેટ ના આપવી જોઇએ.કાળો રંગ રાહુને પ્રભાવિત કરે છે જેના કારણે મીત્રતામાં તણાવ સર્જાઇ શકે છે.
ઘરમાં રહેલી મહિલાઓને સમયાંતરે ઘરેણાં કપડાં જેવી ભેટ આપતા રહેવી જોઇએ જેના કારણે લક્ષ્મીજીની કૃપા વરસતી રહેશે.મહીનામાં એક વાર ઓફીસમાં મીઠાઇ લઇ જવી જોઇએ અને બધા મીત્રો સાથે મળીને ખાવાથી જીવનમાં ઉન્નતિમાં વધારો થાય છે.