ઑક્સિજન પ્રાણવાયુ છે. ઑક્સિજન વિના જીવન શક્ય નથી ત્યારે એવા કેટલાક ફળો છે જે ખાવાથી શરીરમાં જળવાય છે ઑક્સિજન
શરીરમાં પુરતા પ્રમાણમાં હોવો જોઇએ ઑક્સિજન
ફળો ઑક્સિજન વધારવામાં થાય છે મદદરૂપ
કેટલાક ફળો ખાવા સ્વાસ્થ્ય માટે લાભદાયી
આજના ફાસ્ટયુગમાં લોકો જમવામાં ભારે લાપરવાહી દાખવી રહ્યા છે. શરીર માટે તે ફૂડ સારુ કે નહીં તે જોશે નહીં પરંતુ ફાસ્ટફૂડ તો પળવારમાં જ આરોગી જાય છે. આવા ફૂડમાં પોષક તત્વો નહીં પરંતુ શરીરને નુકસાન પહોંચે તેવા તત્વો વધારે હોય છે. પરિણામે ધીરે ધીરે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે.
શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ જળવાઇ રહેવું જોઇએ
ખોરાક એવો ખાવો જોઇએ કે જેનાથી શરીરને પુરતુ પોષણ મળે. તમારા શરીરના ઓક્સિજન સ્તર પર પણ ધ્યાન આપવું જોઈએ. જેથી શ્વાસ લેવામાં તકલીફ ન થાય.આવી સ્થિતિમાં તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ. આ માટે તમારે બહુ મહેનત કરવાની જરૂર નથી. તેના બદલે, તમારે તમારા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવો જોઈએ. આવો અમે તમને જણાવીએ કે શરીરમાં ઓક્સિજન લેવલને ઠીક કરવા માટે તમારે કયા ફળોનું સેવન કરવું જોઈએ.
કયા ફળો ખાવાથી શરીરમાં જળવાય છે ઑક્સિજન
નાસપતી
તમારા આહારમાં નાસપતી(pear)નો સમાવેશ કરવાથી લોહીમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ મળે છે, મહત્વનું છે કે નાસપતીમા વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર અને કોપર જેવા પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારા શરીરનું ઓક્સિજન લેવલ બરાબર રહે છે.
પપૈયું
પપૈયું પેટ અને સ્વાસ્થ્ય બંને માટે અનેક રીતે ઉપયોગી છે. બીજી તરફ, સવારે તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. તેમાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, બી, સી જેવા પોષક તત્વો હોય છે. જે ન માત્ર શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. સાથે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી, જો તમારા શરીરનો ઓક્સિજન પણ ઓછો થઈ રહ્યો છે, તો તમારે તમારા આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.
કિવિ
કિવિનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે, તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કિવિમાં એવા ઘણા પોષક તત્વો છે જે શરીરમાં બ્લડ ઓક્સિજન વધારવામાં મદદ કરે છે. આ સાથે તેનું સેવન કરવાથી તમારા ચહેરા પર ચમક પણ આવે છે.