આપણે દરેક ખાદ્યપદાર્થોને ફ્રીઝમાં મુકવાની આદતને મજબૂર હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે અમુક ફળ કે શાકભાજીને ફ્રીજમાં મૂકવા તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે.
આપણે અવાર-નવાર ખાવા-પીવાની ચીજવસ્તુઓનો સંગ્રહ કરીને રાખીએ છીએ અને વિચારીએ છીએ કે આ વસ્તુ આપણને ક્યારેક કામમાં આવશે. પરંતુ આ આદત આપણા માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો તમે એવુ માનો છો કે તમારા ફ્રીજમાં રાખેલી ખાવા-પીવાની ચીજવસ્તુ ખરાબ નહીં થાય તો તમે ખોટા સાબિત થાવ તેવી ભરપૂર સંભાવનાઓ છે. ખાવાની કઈ વસ્તુને કેટલા સમય સુધી ફ્રીજમાં રાખવાની માહિતી તમારી પાસે નથી તો અમે આજે તમને જણાવીશું કે ખાવા-પીવાની કઈ વસ્તુને તમે ફ્રીજમાં કેટલા સમય સુધી રાખશો તો તમારું આરોગ્ય સારું રહેશે.
કેળાં ફ્રીજમાં ન મુકશો
કેટલાંક લોકોને એવા પ્રકારની માહિતી હોતી નથી કે કેળાને ફ્રીજમાં ના મુકાય. ફ્રીજમાં કેળા મુકવાથી તમારું આરોગ્ય કથળી શકે છે. જ્યારે કેળાને ફ્રીજમાં રાખવાથી બીજા ફળો અને શાકભાજી પણ બગડી શકે છે. બીજી તરફ કાપી નાખેલી કેરી, તરબુચને પણ ફ્રીજમાં રાખવા ના જોઈએ.
અમુક શાકભાજી પણ ફ્રીજમાં ના મુકવા જોઈએ
બટાકા, ડુંગળી અને લસણ જેવા શાકભાજી પણ લોકો ફ્રીજમાં મુકી દે છે. આવુ ના કરવુ જોઈએ. બટાકાને વેપારી કોલ્ડ સ્ટોરેજમાં મુકે છે. પરંતુ ઘરના ફ્રીજમાં બટાકા મુકવા અયોગ્ય છે. આવુ કરવાથી ડાયાબિટીઝનાં દર્દીઓની મુશ્કેલી વધી શકે છે. કારણકે ઠંડીથી બટાકાનું સ્ટાર્ચ સુગર બદલાઈ જાય છે.
બટાકાને ખુલ્લામાં સુરક્ષિત રાખવા યોગ્ય
આ ઉપરાંત હજારો ગામડામાં આજે પણ ફ્રીજ નથી. તેમ છતાં, લોકો બટાકાને ખુલ્લામાં સુરક્ષિત રાખે છે. બટાકાને કોઈ પણ પેપર બેગમાં નાખી ખુલ્લી જગ્યાએ રાખવા જોઈએ. એવી જ રીતે ડુંગળી અને લસણને પણ ફ્રીજમાં ના મુકવા જોઈએ. કારણકે તેની સુગંધ બીજી વસ્તુમાં આવે છે.
મધને પણ ફ્રીજમાં ના મુકશો
કોરોનાકાળમાં તમે પણ ઈમ્યુનિટીના નામે મધનો ઉપયોગ કરતા હશો. એવામાં અમુક લોકો મધના બગડી જવાના ડરથી તેને ફ્રીજમાં મુકી દે છે. જે કરવુ અયોગ્ય છે. તમારે મધને ફ્રીજમાં ના મુકવુ જોઈએ. ફ્રીજમાં મુકવાથી મધમાં ક્રિસ્ટલ બને છે. આ મધ ખાવાથી તમારું આરોગ્ય સારુ થવાના બદલે કથળી જાય છે. જ્યારે બ્રેડને પણ ફ્રીજમાં ના મુકવુ જોઈએ. ઠંડી બ્રેડ ખાવાથી તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે.