વર્લ્ડ કપ શરૂ થવા માટે ગણતરીના દિવસો બાકી છે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ જવા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતાં જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે, જોકે આ વર્લ્ડકપ માટેની ટીમ ઇન્ડિયામાં સામે કેટલા ખેલાડીઓ માટે આ અંતિમ વર્લ્ડકપ હોઈ શકે છે, જેમાં 4 નામ એવા છે, હવે પછી આગામી વર્લ્ડકપમાં જોવા નહીં મળે.
મહેન્દ્રસિંહ ધોની:
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની માટે આ અંતિમ વિશ્વકપ હશે. ધોનીની ઉંમર 38 આસપાસ છે અને આગામી વર્લ્ડકપ સુધીમાં તે 42 વર્ષના થઈ જશે. આ માટે આ વર્લ્ડકપ ધોનીનો અંતિમ વર્લ્ડકપ હશે.
શિખર ધવન:
ભારતીય ટીમનાં ઑપનર બેટ્સમેન શિખર ધવન આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે. શિખર ધવનની ઉંમર પણ હાલમાં ૩૪ આસપાસ છે અને આગામી વર્લ્ડકપમાં તેની ઉંમર 38 વર્ષની હશે. આ માટે આ વર્લ્ડકપ તેનો અંતિમ વિશ્વકપ હોઇ શકે છે.
કેદાર જાધવ:
કેદાર જાધવ માટે પણ આ અંતિમ વર્લ્ડકપ હશે. જાધવની ઉંમર વર્લ્ડકપ શરૂ થાય ત્યાં સુધીમાં 34 આસપાસની હશે અને આવતા વર્લ્ડકપ સુધી તેની ઉંમર 38ની થઇ જશે. ફિટનેસના મામલે જાધવ પણ ધવનની માફક ખરાબ રેકૉર્ડ ધરાવે છે.
દિનેશ કાર્તિક:
મહેન્દ્રસિંહ ધોનીના બીજા વિકલ્પ તરીકે વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ઉંમર વિશ્વકપ શરૂ થાય ત્યારે 34ની આસપાસ હશે અને આવતા વિશ્વકપ સુધી તે 38 વર્ષનો થઇ જશે. આવામાં આ તેનો અંતિમ વર્લ્ડકપ હશે.