નાળિયેર પાણીમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો અને ખનિજો હોય છે.
કેરીમાં હોય છે વિટામિન સી
જે ઈમ્યૂનિટીને કરે છે મજબૂત
આ સાથે પીવો આ શરબત
કાળઝાળ ગરમીથી ઘણા લોકો પરેશાન છે. આ ગરમીમાં કૂલ-કૂલ રહેવા માટે લોકો અલગ અલગ પ્રકરાના નુસ્ખા અપનાવે છે. આ સિઝનમાં લોકો મોટાભાગે ડિહાઈડ્રેશનની ફરિયાદ કરે છે. સાથે જ તેમને અન્ય બીમારીઓ પણ ઘેરી લે છે. ગરમીઓની સિઝનમાં પાણીની કમીથી ઝાડા, ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે.
ગરમીમાં તમારે ડાયેટમાં એવી ડ્રિંક્સ જરૂર શામેલ કરવી જોઈએ જે શરીરને હાઈડ્રેટ રાખે. સાથે સાથે ડાયેટમાં એવી વસ્તુઓ શામેલ કરો જે તમને ફ્રેશ રાખે, સાથે જ સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં પણ મદદ કરે. આવો જાણીએ આ ગરમીમાં તમારે શું ખાવું જોઈએ.
ખૂબ પીવો નારિયેળ પાણી
નારિયેળ પાણીની અંદર, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા ઘણા પોષક તત્વો અને ખનિજ પદાર્થ રહેલા છે. નારિયેળ પાણીની અંદર રહેલા ગુણ ગરમીમાં ખોવાયેલા તરલ પદાર્થ અને ઈલેક્ટ્રોલાઈટ્સ પદાર્થોની ભરપાઈ કરે છે. માટે ગરમીઓમાં નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.
બીલાનો શરબત
બીલાનો શરબત શરીરને હાઈડ્રેટ રાખે છે. બીલામાં વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય છે અને વિટામિન-સીનું સેવન માઈગ્રેનના રોગીઓમાં ન્યુરોજેનિક સોજાની સારવાર કરવા માટે કામ કરે છે. બીલામાં વિટામિન-સી હોય છે. જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
આમ પન્ના
કેરીમાં વિટામિન સી હોય છે જે ઈમ્યૂનિટીને મજબૂત કરે છે. કેરી ખાવાથી શરીર પણ ઠંડુ રહે છે. માટે ગરમીઓમાં આમ પન્ના પીવું જોઈએ.
તરબૂચ
તરબૂત શરીરમાં પાણીની કમી નથી થવા દેતુ કારણ કે તેમાં લગભગ 92 ટકા પાણી મળી આવે છે. તે ઉપરાંત ફાઈબર, વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વ પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચના સેવનથી શરીરને હાઈડ્રેટ રાખી શકાય છે.
લીંબુ શરબત
ડિહાઈડ્રેશનના કારણે ઘણી બીમારીઓની સંભાવના વધી જાય છે. આ બીમારીઓથી બચવા માટે રોજ લીંબૂ-પાણીનું સેવન કરો. લીંબુમાં વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય છે. જે ડિહાઈડ્રેશનથી થતી બીમારીઓથી લડવા માટે કારગર છે. તેની સાથે જ વિટામીન સીના સેવનથી ઈમ્યુનિ સિસ્ટમ મજબૂત કરે છે.
ખીરા કાકડીનું સેવન
આ આપણને હાઈડ્રેટ રાખીને ડિહાઈડ્રેશનથી બચાવે છે. કારણ કે ખીરામાં 80% પાણી હોય છે. ખીરા હાર્ટ માટે પણ ફાયદાકારક હોય છે. આ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે ઉપરાંત આંતરડાની પણ સફાઈ કરે છે.