આજે અમે તમને અમુક એવા ખાદ્યપદાર્થો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે લોહી સાફ કરવા માટે ફાયદાકારક છે અને સાથે સાથે સ્કીનને લગતા રોગથી પણ મુક્તિ અપાવે છે.
લોહી સાફ કરવા માટે ક્યા ખોરાકનું કરવું જોઈએ સેવન
ઇન્ફેકશનનો ખતરો પણ થશે ઓછો
સ્કીનને લગતી બીમારીથી પણ મળશે છૂટકારો
આજકાલનાં ભાગદોડ ભરેલા જીવનમાં આપને આપણા સ્વાસ્થ્ય અને સ્કીન પર પણ પૂરતું ધ્યાન આપુઈ શકતા નથી, જેથી ઘણા પ્રકારની બીમારીઓનો શિકાર બની જઈએ છીએ. તો આજે અમે તમને એવા ખાદ્યપદાર્થો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી લોહી પણ સાફ થશે અને સ્કીનને લગતી બીમારીઓથી પણ મુક્તિ મળશે.
હળદર
એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી હળદર મેળવો. રાત્રે સૂતા પહેલા એક મહિના સુધી હળદરવાળું દૂધ પીવાથી લોહી સાફ થાય છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે, જે એંટીઓક્સીડેંટ ગુણો ધરાવે છે. લોહી સાફ કરવાનાં ઉપાયોમાં હળદર સૌથી ઉત્તમ ઉપાય છે.
વરીયાળી
વરીયાળી પણ લોહીની સફાઈ માટે સૌથી સારા વિકલ્પોમાંનો એક છે. રીજ વરીયાળીનાં ઉપયોગથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે. વરીયાળીમાં ઘણા તાત્વો હોય છે, જે આંખોની દ્રષ્ટિ પણ સુધારે છે.
કાકડી
કાકડીનાં નિયમિત સેવનથી લોહીમાંથી દ્દૂષિત પદાર્થો બહાર નીકળી જાય છે. કાકડીનાં સેવનથી પાણી, પોટેશિયમ અને વિટામિન સી પણ મળે છે, જેથી લોહી ઝડપથી પ્રવાહિત થાય છે. કાકડી એંટીઓક્સીડેંટ ગુણ અને સ્વસ્થ કોશિકાઓ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
લસણ
લસણનાં એંટીઓક્સીડેંટ ગુણ શરીરમાં જમા થયેલ ફ્રી રેડીકલને ખતમ કરવામાં મદદરૂપ થાય છે, જેથી બ્લડ પ્રેશર સામન્ય રહે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરવાની સાથે સાથે લોહી પાતળું કરવામાં પણ લસણ મદદરૂપ છે.
લીંબુ
રોજ લીંબુને ગરમ પાણીમાં નીચોવીને પીવાથી લોહી સાફ થાય છે. તમે ઈચ્છો ઓ દૂધ વગરની ચામાં બે લીંબુનાં રસને મેળવીને પી શકો છો. આમ કરવાથી ન માત્ર લોહી સાફ થશે પરંતુ શરીરનાં બધા ઝેરીલા તત્વોનો પણ નાશ થશે.