દેશમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે, એવામાં બીમારીઓથી બચીને રહેવા કેટલીક ખાસ વસ્તુઓનું સેવન અવશ્ય કરો, જેથી કોરોના સહિત વાયરલ, ફ્લૂ અને સિઝનલ બીમારીઓથી બચી જશો. ચાલો જાણીએ.
દેશમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે
આ ખાસ હેલ્ધી વસ્તુઓ ખાઈને બચી શકો છો વાયરસ અને ફ્લૂથી
ખાનપાનમાં ધ્યાન આપવું છે જરૂરી
એન્ટીઓક્સિડેન્ટ્સવાળા ફૂડ્સ
બેરીઝ, ડુંગળી, લસણ, આદુ, ગાજર અને કોળું એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપુર હોય છે. આહારમાં આ વસ્તુઓ સામેલ કરવાથી ઈમ્યૂનિટી વધે છે જે વાયરસ સામે લડવામાં મદદ કરે છે. આ વસ્તુઓમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, બી અને ઈ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે.
વિટામિન સી છે જરૂરી
વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રામબાણ માનવામાં આવે છે. નારંગી, આમળા, બેરીઝ, લીંબુ વગેરેમાં વિટામિન સી હોય છે. આ સિવાય તમે તમારા આહારમાં મોરિંગા, તુલસી, લીમડો, ગ્રીન ટી વગેરે વસ્તુઓ લઈ શકો છો. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સ્ટાર એનિસ (ચક્રફૂલ)
સ્ટાર એનિસમાં શીમિક એસિડ હોય છે. છેલ્લા 15 વર્ષથી તેનો ઉપયોગ એન્ટિવાયરલ દવાઓનું સંશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘણાં ફાયદાકારક તત્વો છે જે અનેક પ્રકારના રોગોના ઉપચાર માટે ઉપયોગી સાબિત થાય છે. સ્ટાર એનિસનો ઉપયોગ થાઈ સૂપ, કરી, શાકભાજીવગેરે બનાવવા માટે મસાલા તરીકે થઈ શકે છે. આ સિવાય આ મસાલાના બે ટુકડા 15 મિનિટ સુધી પાણીમાં ઉકાળી પાણી નવશેકું રહેત્યારે તેને પીવો. આવું કરવાથી શરીરની ઈમ્યૂનિટી વધે છે.
ફર્મન્ટેડ ફૂડ
આથેલો ખોરાક આંતરડા માટે ફાયદાકારક છે. ફર્મટેડ ખોરાક ઈમ્યૂનિટી વધારવામાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દહીં, કેફિર, કીચી, ઘરના અથાણા, કાંજી જેવા ફર્મેન્ટેડ ફૂડ્સ ખાવાથી પેટની સમસ્યાઓ મટે છે. આ ખોરાક ગેસ, એસિડિટી, કબજિયાત અને પાચનની સમસ્યાઓથી પણ રાહત આપવામાં મદદ કરે છે.
મુલેઠી
મુલેઠી એટલે કે જેઠીમધ ઔષધીય ગુણથી ભરપુર છે. મુલેઠી ઘણાં રોગોમાં દવા તરીકે વપરાય છે. તેમાં એન્ટિવાયરલ, એન્ટિમાઇક્રોબિયલ, એન્ટીઇન્ફ્લામેટરી ગુણો હો છે. મુલેઠીનો ઉપયોગ ઘણાં વાયરલ ઈન્ફેક્શન સામે લડવા માટે થાય છે. તમે તેની ચા બનાવીને પણ પી શકો છો.
હળદર
હળદરમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે, તેમાં કર્ક્યુમિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. ખોરાકમાં હળદર અને કાળા મરીનો નિયમિત ઉપયોગ કરવાથી તેનો સ્વાદ વધે છે સાથે જ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે હળદરનું દૂધ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. હળદર અને કાળા મરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને શરીરને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
નાળિયેર તેલ
નાળિયેર તેલ સોજો ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારા દિવસની શરૂઆત દરરોજ 1 અથવા 2 ચમચી ઓર્ગેનિક નાળિયેર તેલથી કરી શકો છો. આ સિવાય તેમાં એન્ટિવાયરલ ગુણો છે જે બેક્ટેરિયા અને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.