ડાયાબિટીસ અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે અમુક પ્રકારના ખોરાકનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જાણો આ માટે ક્યા ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાયટ અને એક્સર્સાઇઝ એ બે સૌથી મહત્ત્વની બાબતો છે. બ્લડ શુગર જાળવવા માટે ખોરાકમાં ફાઇબરનો ઉપયોગ મહત્તમ કરવો જોઈએ. ફાઈબર શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયટરી ફાઇબર ટાઇપ-ર ડાયાબિટીસ સામે લડવામાં પણ મદદરૂપ છે. જો મોંઘીદાટ દવાઓ પછી પણ લોહીમાં શુગરનું પ્રમાણ ઘટતું નથી તો તમારે કેટલીક ઔષધિઓની પણ મદદ લેવી જોઈએ. આ જડીબુટ્ટીઓ શુગર ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. શુગર કંટ્રોલ કરતી તે ઔષધિઓ વિશે જણાવીએ, જે તમારી શુગરને સાવ સસ્તામાં નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
બ્લડ શુગરને કંટ્રોલ કરશે આ ઘરેલુ ઉપચારોઃ
લીમડો, મરી અને બીલીપત્રનાં પાન
લીમડાનાં ચાર પાન, દસ કાળાં મરીના દાણા અને ચાર બીલીપત્રનાં પાનને પીસીને સવારે ખાલી પેટ પીવાનું શરૂ કરો. બ્લડ શુગર તરત જ નિયંત્રણમાં રહેશે.
જાંબુ અને તેનાં બીજ
થોડાં જાંબુ લો અને તેને ખાઓ તથા તેનાં બીજને સૂકવી લો. જાંબુ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે અને તેનાં બીજ તેના કરતાં પણ વધુ અસરકારક છે. જાંબુનાં બીજનો પાઉડર બનાવી લો. રોજ સવારે નવશેકા પાણી સાથે બે ચમચી પાઉડર લો. તે તમારા બ્લડ શુગરને તાત્કાલિક કંટ્રોલ કરશે.
મેથીનાં બીજ અને શાક
મેથીના દાણા અને પાંદડાં બંને ડાયાબિટીસ સામે લડવામાં મદદરૂપ છે. રોજિંદા આહારમાં મેથીનો સમાવેશ કરો, સાથે જ રાતે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીના દાણા પલાળી રાખો અને સવારે વાસી મોઢે પીવાનું શરૂ કરો. મેથીને ચાવીને ખાઓ. તે તમારા બ્લડ શુગરને દિવસભર જાળવી રાખવામાં મદદ કરશે. જો તમારી પાસે મેથી ન હોય તો કસૂરી મેથીને પલાળ્યા પછી કોઈ પણ શાકમાં મિક્સ કરીને ખાઓ. મેથીમાં હાજર ફાઇબર પાચનક્રિયાને ધીમી કરે છે, જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડના શોષણને નિયંત્રિત કરે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.
સરગવાનાં પાન અને શિંગ
ડ્રમસ્ટિક ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીમાં રામબાણની જેમ કામ કરે છે. ડ્રમસ્ટિકનાં પાંદડાંથી લઈને તેની િશંગ સુધી તેને કોઈ પણ સ્વરૂપમાં આહારમાં સામેલ કરો. તેનાં પાનનો રસ લઈ શકાય. તમે લીલાં શાકભાજી અથવા સૂપ પી શકો છો.