અનેક લોકોને આદત હોય છે કે તેઓ વધેલું ખાવાનું બીજા દિવસે ગરમ કરીને ખાય છે. પણ આ આદત તમને બીમારીનો શિકાર બનાવી શકે છે. જાણો કઈ ચીજોને ગરમ કરીને ન ખાવી જોઈએ.
ચોમાસામાં આજથી બદલી દો આ આદત
ભૂલથી પણ આ ચીજોને ગરમ કરીને ખાવાનું ટાળો
બની શકો છો બીમારીઓના શિકાર
જો તમે પણ કેટલીક ચીજને બીજા દિવસે ગરમ કરીને ખાઓ છો કે એક જ ખોરાક વારેઘડી ગરમ કરીને ઉપયોગમાં લેવાની આદત ધરાવો છો તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. તેનાથી તમે અજાણતા બીમારીનો ભોગ બની શકો છો. તો જાણો આ આદતને વિશે વિગતે.
પાલક અને લીલા શાક
જો તમે ગ્રીન શાક જેમકે પાલક ખાઓ છો તો તેને ફરીથી ગરમ કરવાનું ટાળો.પાલકમાં મોટા પ્રમાણમાં આયર્ન હોય છે. તને ગરમ કરવાથી તે ઓક્સીડાઈઝ થઈ જાય છે. આયર્નનું ઓક્સીડેશન અનેક બીમારીનો શિકાર બનાવે છે.
ભાત
કાચા ચોખામાં કેટલાક સ્પોર્સ એટલે કે જીવાણુઓ હોય છે અને તમે તેને બનાવો છો તો પણ તે તેમાં જ રહે છે.પણ તે શરીરને નુકસાન કરતા નથી. ભાત બન્યા બાદ તે લાંબા સમય સુધી રૂમ ટેમ્પ્રેચર પર સારા રહે છે. પણ થોડા સમય બાદ તેમાં બેક્ટેરિયા ભળે છે અને તે શરીરમાં ફૂડ પોઈઝનિંગ કરી શકે છે.
ઈંડા
ઈંડામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે. જ્યારે તે એક વાર આગના સંપર્કમાં આવે છે ત્યારે જ તેને વધારે નુકસાન થાય છે. એવામાં સલાહ અપાય છે કે ઈંડાને જલ્દી વાપરી લેવા.તેને તમે ઠંડી જગ્યાએ રાખી શકો છો. પ્રોટીનની સાથે નાઈટ્રોજનને ગરમ કરીને કેન્સરનું કારણ પણ બની શકે છે.
ચિકન
ચિકન માટે કહેવાય છે કે તે વારે ઘડી ગરમ કરાય તે સારું નથી. તેમાં અનેક ફેરફાર આવે છે અને પ્રોટીન કમ્પોઝિશન બદલાઈ જાય છે. તેને ફરી ગરમ કરીને ખાવાથી ડાયજેશન ખરાબ થઈ શકે છે.
મશરૂમ
મશરૂમને બનાવ્યા બાદ થોડા સમયમાં ખાઈ લેવું. તેને વધારે સમય અને ખાસ કરીને બીજા દિવસે ઉપયોગમાં લેવું નહીં. તે તમારી પાચન ક્રિયા માટે નુકસાન કરે છે. મશરૂમ બચી જાય તો તે ઠંડું ખાઈ લો. ગરમ કરવાની ભૂલ કરશો તો શરીરને નુકસાન થશે.