આજે અમે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે એક્સપાયરી ડેટ પછી પણ કરી શકો છો, ચાલો જાણીએ..
એક્સપાયરી ડેટ પછી એ વસ્તુઓનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
કેટલીક એવી વસ્તુઓ છે જેની એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી પણ ઉપયોગ કરી શકાય
એવી જ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
જ્યારે પણ આપણે કોઈ ખાવાપીવાની પેક્ડવસ્તુઓ લઈએ છીએ ત્યારે સૌથી પહેલા તેમાં રહેલ એક્સપાયરી ડેટ ચેક કરીએ છીએ. દરેક ખાવાની વસ્તુની એક ઉંમર હોય છે અને જો એ એકસીપાયરી ડેટ પછી એ વસ્તુઓ ખાઈએ તો તે વસ્તુ શરીરને નુકશાન પંહોચાડે છે અને બીમાર પણ પાડી શકે છે. એક્સપાયરી ડેટ પછી એ વસ્તુઓનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ આપણે બધા જાણીએ જ છીએ પણ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેની એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી પણ તમે આરામથી તેનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે એક્સપાયરી ડેટ પછી પણ કરી શકો છો, ચાલો જાણીએ..
વિનેગર
વિનેગરનો ઉપયોગ ઘણી અલગ અલગ રીતે થાય છે. ખાસ કરીને પીકલ એટલે કે અથાણાંમાં નાખવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી રહે. આ સિવાય વિનેગરવાળી ડુંગળી ખાવામાં ઘણી સ્વાદિષ્ટ લાગે છે. તમને જણાવી દઈએ કે એક્સપાયરી ડેટ પછી પણ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે તેનાથી કોઈ નુકશાન થતું નથી.
ખાંડ
ખાંડ એક એવી વસ્તુ છે જેનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત ખાંડના પેકેટ પર 2 વર્ષ સુધીની એક્સપાયરી ડેટ પણ લખેલી જોવા મળે છે પરંતુ ખંડ ને તમે હવા ન લાગે તેવા એર ટાઈટ કન્ટેનરમાં યોગ્ય રીતે સંગ્રહીને રાખો તો વર્ષો સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.
મધ
યોગ્ય રીતે સંગ્રહિત કરેલ મધ વર્ષો સુધી બગડતું નથી. મધને હવા ન લાગે એવા એર ટાઈટ કન્ટેનરમાં બંધ રાખો. એવું કરવાથી તમે વર્ષો સુધી બગડ્યા વિના મધનો ઉપયોગ કરી શકો છો.
પાસ્તા
પાસ્તા આપણે બધાની પસંદિતા વસ્તુમાંથી એક છે. તેની પણ કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. પાસ્તાને હવાચુસ્ત એર ટાઈટ કન્ટેનરમાં યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તે વર્ષો સુધી ટકી રહે છે.