આપણા દરેકના ઘરમાં રોજ પૂજા કરાય છે અને તેમાં કેટલીક ખાસ વસ્તુઓનો પણ રોજ ઉપયોગ કરાય છે. ફરક એટલો છે કે આપણે તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વને જાણતા નથી. જો તમે કેટલીક ખાસ ચીજોના મહત્વને જાણશો તો તમને રાહત મળશે.અહીં આજે 5 ચીજોના ખાસ ઉપયોગ વિશે કહેવાયું છે જે તમારી ઈમ્યુનિટી વધારવામાં તમારી મદદ કરશે.
પૂજામાં વપરાતી આ વસ્તુઓના છે ખાસ ઉપયોગ
ઈમ્યુનિટી વધારવામાં કરે છે તમારી મદદ
રોજ ઘરમાં આ વસ્તુઓનો કરો ધૂપ
પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતી ચીજોનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું દૈનિક જીવનમાં પણ મહત્વ છે. કોરોનાના કારણે દરેક જગ્યાએ ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવવા કહેવામાં આવી રહ્યું છે. લોકો આ માટે અનેક પ્રકારના પ્રયાસ કરતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે પૂજામાં જે ચીજ વાપરો છો તે જ ચીજ ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવા માટે વાપરવામાં આવે છે.
મધ
મધનો ઉપયોગ ઈમ્યુનિટી વધારે છે. રોજ મધ ખાવાથી શરીરમાંથી બીમારીઓ દૂર રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર કુંગળીમાં મંગળ સમસ્યા લાવી રહ્યો છે તો દર મંગળવાર શિવલિંગ પર મધ અર્પણ કરો. ગુરુના ખરાબ પરિણામ ખતમ થશે. બેડરૂમમાં મધની શીશી રાખવાથી પણ દામપત્ય જીવનમાં મધુરતા આવે છે.
લવિંગ
હવનમાં લવિંગનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગ વિના હવન કે પૂજા પાઠ અધૂરું માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં લોકો લવિંગને પવિત્ર અને ગુણકારી માને છે. તેનાથી ઈમ્યુનિટીને બુસ્ટઅપ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર લવિંગ ઘરમાં ક્લેશને ખતમ કરે છે. આ માટે દેશી કપૂરની સાથે કેરીના લાકડાના ટુકડો લો અને તેને સળગાવો. આ પછી 11 જોડી લવિંગ લો અને ધ્યાન રાખો કે તે તૂટેલા ન હોય અને તાજા હોય. તેમાં થોડું ઘી મમિક્સ કરો અને આગ પ્રગટાવો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ આ રીતે ઘરમાં પૂજા કરવાથી ક્લેશ દૂર રહે છે.
કપૂર
પૂજામાં થતો કપૂરનો ઉપયોગ મહત્વનો ગણાય છે. તે મીણ જેવું દેખાય છે. તેમાનો ઉડનશીલ વાનસ્પતિક પદાર્થ હવન અને આરતીમાં મહત્વનો ગણાય છે. તેની મહેક વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. મનને શાંતિ મળે છે, વૈજ્ઞાનિક માન્યકા અનુસાર કપૂરના નિયમિત ઉપયોગથી ઇમ્યુનિટી વધે છે. માન્યતા છે કે રાતે સૂતી સમયે પીત્તલના વાસણમાં કપૂર અને ગાયનું ઘી મિક્સ કરો અને તેને સળગાવો. આમ કરવાથી પતિ પત્નીના સંબંધમાં સુધારો આવે છે. ઘરમાં પણ 3 સમય સવાર, બપોર અને સાંજે આ પ્રયોગ કરવાથી પિતૃદોષનો નાશ થાય છે.
એલચી
જ્યોતિષમાં એલચીને શુક્રનો પદાર્થ ગણવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર એલચીના રોજના પ્રયોગથી ઈમ્યુનિટી મજબૂત બને છે. ધાર્મિક માન્યતામાં એલચીને મહત્વની ગણાય છે. સારી નોકરી મેળવવા માટે એલચીનો ઉપયોગ કારગર સાબિત થાય છે. આ પ્રયોગને એક ગુરુવારથી શરૂ કરીને 3 ગુરુવાર સુધી કરવાથી લાભ થયા છે. પીપળાના ઝાડની નીચે પીપળાના પાન પર 2 લીલી એલચી અને 5 પ્રકારની મિઠાઈ રાખવાથી નોકરીમાં સારા સમાચાર મળે છે.
ઘી
ગાયના ઘીનો પૂજામાં ખાસ રીતે ઉપયોગ કરાય છે. રોજ ગાયના ઘીનો પ્રયોગ કરવાથી અનેક રોગો સામે લડવાની ક્ષમતા મળે છે. ગાયનું ઘી સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે અને ધનવાન બનાવે છે. માન્યતા છે કે રોજ સાંજે ગાયના ઘી પર કેસર નાંખો અને પછી ધુમાડો થાય તે નકારાત્મક ઉર્જા ખતમ કરશે.