ભૂતડી અમાસના દિવસે પિતૃની પૂજા અને તમામ પ્રકારના જ્યોતિષ ઉપાય કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. આ પાંચ બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો તે ખતરો બની જાય છે.
21 માર્ચના રોજ છે ભૂતડી અમાસ.
સૂર્યોદય બાદ પણ સૂવાથી પિતૃઓનો આશીર્વાદ મળતો નથી.
આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે.
હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની કૃષ્ણપક્ષની તિથિને વર્ષની છેલ્લી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 21 માર્ચના રોજ ચૈત્ર માસની અમાસ છે, આ અમાસ સવારે 01:47 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 10:52 વાગ્યા સુધી રહેશે. આ દિવસે સ્નાન કરીને દાન અને પૂજા કરવામાં આવે છે.
આ અમાસને ભૂતડી અમાસ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે પિતૃની પૂજા અને તમામ પ્રકારના જ્યોતિષ ઉપાય કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. આ અમાસનો સંબંધ ભૂત અને પ્રેત સાથે છે કે, નહીં તે માન્યતાની વાત છે, પરંતુ આ અમાસનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ ખૂબ જ છે. આ અમાસના નિયમો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખવામાં ના આવે તો તે ખતરો બની જાય છે.
ભૂતડી અમાસના નિયમો
સનાતન પરંપરા અનુસાર દર અમાસે મોડા સુધી ના સૂવું જોઈએ. માનવામાં આવે છે કે, જે લોકો અમાસના દિવસે સૂર્યોદય બાદ પણ સૂતા રહે છે, તેમને પિતૃઓનો આશીર્વાદ મળતો નથી. ચૈત્ર અમાસના દિવસે તો સૂર્યોદય પહેલા ઉઠી જ જવું જોઈએ.
ભૂતડી અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ તથા તર્પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે પિતૃઓનું પૂજન કરવાથી તેમના આશીર્વાદ મળે છે. આ દિવસે જે લોકો પિતૃઓને ખરાબ બોલે છે અને તેની ઉપેક્ષા કરે તો તેને પિતૃદોષ લાગે છે, જેના કારણે તમામ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
હિંદુ માન્યતા અનુસાર ભૂતડી અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. આ દિવસે સૂમસામ જગ્યાઓ, સ્મશાન, ખંડેર જેવા ઘર, અંધારપટ રૂમમાં ના જવું જોઈએ.
હિંદુ માન્યતા અનુસાર ભૂતડી અમાસના દિવસે જીવનના તમામ દોષ દૂર કરવા અને સુખ તથા સમૃદ્ધિ મેળવવા ફૂલ છોડને નુકસાન ના પહોંચાડવું જોઈએ. આ દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ.
ભૂતડી અમાસના દિવસે તામસી ભોજનનું સેવન ના કરવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે કોઈપણ વ્યક્તિ સાથે વાદ વિવાદ ના કરવો જોઈએ, આ દિવસે વાદ વિવાદ થાય તો તે વધુ સમય સુધી ચાલતા રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.