કેન્દ્ર સરકાર PM કિસાન યોજના હેઠળ ખેડુતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપે છે.
આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોએ ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવી આ યોજનાનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત 6000 રૂપિયાની રકમ 2000 રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.
દેશના 14.5 કરોડ ખેડૂતોનો આ યોજનામાં સમાવેશ
શરૂઆતમાં આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યા હતા, જેમની પાસે ફક્ત બે હેક્ટર જમીન હતી.
હવે આ નિયમમાં સુધારો કરીને આ યોજના તમામ ખેડુતો માટે લાગુ કરવામાં આવી છે. જો કે કેટલાક ખેડૂતોને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યા નથી. હાલમાં દેશના 14.5 કરોડ ખેડૂત આ યોજના હેઠળ આવે છે.
આ ખેડૂતોનો સમાવેશ નહીં થાય
PM કિસાનમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોમાં સંસ્થાકીય જમીન ધારકો, બંધારણીય હોદ્દાઓ ધરાવતા ખેડૂત પરિવારો, રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ તેમ જ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સ્વાયત સંસ્થાઓ શામેલ છે.
ડોકટરો, ઇજનેરો અને વકીલો તેમજ નિવૃત્ત પેન્શનરો જેવા કે 10,000 રૂપિયાથી વધુનું માસિક પેન્શન ધરાવતા અને છેલ્લા નાણાકીય વર્ષમાં આવકવેરો ભરનારા વ્યાવસાયિકો લાભને પાત્ર ગણવામાં આવ્યા નથી.
તમામ જમીન વિહોણા ખેડૂત પરિવારો, જેમના નામ ખેતીલાયક જમીન છે, તેઓ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે.