કોરોનાના કારણે ટ્રેનમાં આપવામાં આવતુ ભોજન બંધ કરવામાં આવ્યુ હતુ. જેને ફરીથી 100 ટકા ક્ષમતા સાથે એટલે કે તમામ ટ્રેનોમાં ભોજન આપવામાં આવશે તેવી રેલવે વિભાગે જાહેરાત કરવામાં આવી
રેલ્વેમાં પેન્ટ્રીમાં ફરીથી ભોજન શરુ
80 ટકા ટ્રેનોમાં શરુ કરાઈ ભોજન સેવા
14 ફેબ્રુ.સુધીમાં બાકીની 20 ટકા ટ્રેનોમાં સેવા
કોરોનાકાળમાં જ્યારે તમામ પ્રકારના વાહનો બંધ કરવામાં આવ્યું હતુ.. ત્યારે રેલવે વિભાગે ઓક્સિજન , દવાઓ , અને કોરોના રસી માટે ટ્રેનો દોડાવામાં આવી હતી.,અને દેશહિતમાં લોકોની સેવામાં રેલવે વિભાગે મોટો ફાળો આપ્યો હતો .ત્યારે કોરોનાના કારણે ટ્રેનમાં આપવામાં આવતુ ભોજન બંધ કરવામાં આવ્યુ હતુ. જેને ફરીથી 100 ટકા ક્ષમતા સાથે એટલે કે તમામ ટ્રેનોમાં ભોજન આપવામાં આવશે તેવી રેલવે વિભાગે જાહેરાત કરવામાં આવી હતી.
રેલ મંત્રાલયનો એક સાર્વજનિક ઉપક્રમ છે જે ભારતીય રેલ પ્રીમીયમ સેવાઓ આપવામાં મોખરે છે. પ્રાવાસ કરનારા યાત્રીઓની જરૂરિયાતો અને દેશભરના કોરોના લીક ડાઉન પ્રતિબંધો માં ઢીલ સાથે IRCTC ટ્રેનોમાં બનાવેલા ભોજન ની સેવાઓ ફરીથી શરુ કરવા તૈયારીઓ કરી લીધી છે અત્યાર સુધીમાં 80 ટકા ટ્રેનમાં રાંધેલા ભોજનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે .એક જ દિવસમાં લાખો થાળીઓમાં ભોજન પીરસાઈ રહ્યું છે
અત્યાર સુધી 428 ટ્રેનોમાં રાંધેલું ભોજન શરુ કરી દેવામાં આવ્યું છે.
22 જાન્યુઆરી સુધી 80 ટકા અને બાકી 20 ટકા 14 ફેબ્રુઆરી સુધીમાં શરુ કરી દેવાશે.રાજધાની, શતાબ્દી અને દુરંતો માં રાંધેલું ભોજન પહેલેથી જ અપાય છે