ગુજરાતમાં દિવાળી અને પેટાચૂંટણી બાદ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આજ રાતે 9 વાગ્યા થી સોમવાર સવાર સુધી 60 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
આ સ્થિતિમાં શહેરમાં કઈ જરૂરી સેવાઓ ચાલુ રહેશે એ માટે અસમંજસનો માહોલ ફેલાયો હતો. આ ઉપરાંત આ તારીખમાં આવતી પરિક્ષાના ઉમેદવારો પણ મૂંઝાઈ ગયા હતા.
આ માટે અમદાવાદ શહેરના કોવિડ 19 માટેના સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી ડો રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે CA, NIC, CSIR, SSCના પરિક્ષાર્થીઓને વેલિડ ID કાર્ડ સાથે પરિક્ષા સ્થળે આવા જવાની છૂટ રહેશે.
All applicants for exams like CA, NIC, CSIR, SSC etc shall be allowed to go and appear if they possess valid admission cards and also ID documents, during next two days in curfew in Amdavad City.
આ ઉપરાંત દૂધ દવાની દુકાનો, મ્યુનિસિપલ સેવાઓ, પેટ્રોલ ગેસ પંપ, ફાર્મા, ઇલેક્ટ્રિક, પાણીની સેવાઓ ચાલુ રહેશે. આ સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને ID કાર્ડ સાથે અવરજવરની છૂટ અપાશે.
All essential services like milk, drug stores, municipal services, petrol & gas stations, Pharma Companies, electrical & water utilities shall operate and personnel connected with their operations shall be allowed to move on possession of valid ID documents.