પેટ અને કમરની આસપાસ વધતી ચરબીને ફટાફટ ઓછી કરવી છે તો આજે જ આ ડ્રિંકને તમારી ડાયટમાં ઉમેરી લો.
એકવખત વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ
વજન ઘટાડવા ખાલી પેટે જીરાનું પાણી ઉકાળીને પી લેવું જોઈએ
નારિયેળ પાણી વર્કઆઉટ પછીનું શ્રેષ્ઠ પીણું સાબિત થઈ શકે છે
આજકાલ વધુ પડતા લોકો વધતા વજનને કારણે ઘણાં મુંજવણમાં રહે છે અને ગમે તે રીતો અપનાવીને વજન ઓછુ કરવા માંગે છે. એકવખત વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે, અને એમાં પણ તમે જો વર્કિંગ વુમન છો કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો તો સમયના અભાવે તમે વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. તો પછી ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ મોટો પ્રશ્ન છે. જો તમારે પેટ અને કમરની આસપાસ વધતી ચરબીને ફટાફટ ઓછી કરવી છે તો આજે જ લાઈફસ્ટાઈલમાં થોડો બદલવા કરી આ ડ્રિંકને તમારા દરરોજની ડાઈટમાં ઉમેરી લો. નાનો એવો બદલાવ તમારાં પેટ પાસેની ચરબી ફટાફટ ઓગાળવા લાગશે અને વજન પણ ઉતરી જશે.
વજન ઘટાડવા માટેના ડ્રિંક્સ
- જો તમે જલ્દી જ વજન ઉતારવા માંગતા હોય તો ખાલી પેટે જીરાનું પાણી ઉકાળીને પી લેવું જોઈએ. તેનાથી જલ્દી જ વજન ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
- જીરું,અજવાઇન અને મેથીને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી વજન જલ્દીથી ઘટે છે. તેનાથી અપચાની સમસ્યા નથી થતી અને બહાર નીકળે પેટની ચરબી તુરંત ઓગળી જાય છે.
-ગ્રીન ટી પીવાથી પણ પેટની ચરબી જલ્દી જ ઓગળવા લાગે છે. દરરોજ કસરત કર્યા પછી વજન ઘટાડવા માટે ડાઈટમાં ગ્રીન ટીનો સમાવેશ કરો.
- વજન ઘટાડવા માટે અજવાઇનની ચા પણ ઘણી ફાયદેમંદ છે. સાથે જ એ પીવાથી ઘણા રોગોથી પણ છુટકારો મળી રહે છે. ખાસ કરીને શરદી-ઉધરસ જેવી બીમારીમાંથી તુરંત છુટકારો મળી જાય છે.
ઓટમીલ અને બ્લૂબેરી શેક
ઓટમીલ અને બ્લુબેરી શેક એવા લોકો માટે ફાયદાકારક સાબિક થશે જેઓ વજન ઓછું કરવા માંગે છે. જો આ ડ્રિંક રોજિંદા વર્કઆઉટ પછી પીવામાં આવે તો તેનાથી આખો દિવસ તમારું પેટ ભરેલું રહેશે. આ માટે તમે એક ગ્લાસ દૂધમાં 2 ચમચી ઓટમીલ, અડધો કપ બ્લુબેરી નાખો. બધાને સારી રીતે પીસી લો. આ પછી તેમાં મધ અને ચિયા સીડ્સ ઉમેરો. હવે તમે જીમ વર્કઆઉટ પછી આ પીણું પી શકો છો.
નારિયેળ પાણી
વજન ઘટાડવા માંગતા લોકો માટે નારિયેળ પાણી વર્કઆઉટ પછીનું શ્રેષ્ઠ પીણું સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આનાથી શરીર દિવસભર એનર્જેટિક રહે છે. ઉપરાંત ભૂખ ઝડપથી લાગતી નથી. આ માટે રોજ નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.