આગામી બજેટમાં સરકારની તરફથી મોટો ફેરફાર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફેરફારમાં હાલમાં ટેક્સના 3 સ્લેબના બદલે 4 ટેક્સ સ્લેબની સંભાવના રાખવામાં આવી રહી છે. ટાસ્ક ફોર્સે ઓગસ્ટ 2019માં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં આ સૂચન આપ્યું હતું.
2020ના બજેટમાં મળી શકે રાહત
ટેક્સ સ્લેબમાં થઈ શકે ફેરફાર
5 લાખનો ટેક્સ સ્લેબ થઈ શકે રદ
કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના તમામ પગલા મંદ પડી ચૂકેલા અર્થતંત્રને જીવંત બનાવવામાં નિષ્ફળ ગયા છે. હવે આવકવેરામાં માળખાકીય પરિવર્તન એ સરકારનું આગલું પગલું હોઈ શકે છે. નાણાં મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બજેટ 2020-21માં ગ્રાહકોની માંગ વધારવા માટે સરકાર આની જાહેરાત કરી શકે છે.
સરકાર કરી રહી છે આ પ્રયાસ
મળતી માહિતી અનુસાર લોકો ખર્ચ કરી રહ્યા નથી અને સરકાર વ્યક્તિગત આવકવેરા અને માંગ વધારવાની યોજનાઓ દ્વારા ખર્ચપાત્ર આવક વધારવાનો વિચારણા કરી રહી છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યા પછી સરકાર ડાયરેક્ટ ટ્રસ્ટ ફોર્સની ખાસ કરીને આવકવેરા અને આવાસને લગતી અન્ય ભલામણોને લાગુ કરવા પર વિચાર કરી રહી છે.
આ રીતે લાગૂ થઈ શકે છે ટેક્સ સ્લેબ
આગામી બજેટમાં સરકાર દ્વારા હાલના ત્રણ ટેક્સ સ્લેબને બદલે ચાર ટેક્સ સ્લેબની દરખાસ્ત કરવાની અપેક્ષા છે. ટાસ્ક ફોર્સે ઓગસ્ટ, 2019માં રજૂ કરેલા પોતાના અહેવાલમાં આ પ્રકારનું સૂચન આપ્યું છે. જો નવા ટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવે તો 10 લાખ સુધીની વાર્ષિક આવકમાં 10 ટકા ટેક્સ, 10થી 20 લાખની આવક પર 20 ટકા ટેક્સ, 20 લાખથી 2 કરોડ સુધીની આવક પર વાર્ષિક 30 ટકા ટેક્સ અને 2 કરોડથી વધુ આવક પર 35 ટકા ટેક્સ રેટની સલાહ આપવામાં આવી છે. જો ટેક્સ સ્લેબમાં ઘટાડો થશે તો 3 કરોડ લોકોને ફાયદો થશે.
થઈ શકે છે આટલો ફાયદો
ઈન્કમટેક્સ પેયર્સ માટે સરકાર રાહતના સમાચાર આપી શકે છે. 2020ના બજેટમાં સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે. વધુ આવક ધરાવનારા માટે નવા ટેક્સ સ્લેબ બનાવવા અને પર્સનલ ઈન્કમ ટેક્સમાં ઘટાડો કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. આવનારા વર્ષમાં 2 કરોડ રૂપિયાથી વધારે આવકવાળા લોકો માટે 35 ટકા ટેક્સ નક્કી થઈ શકે છે. 5 લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણ રીતે છૂટને વધારેની 6.5 લાખ સુધીની કરી શકાય છે. આ ટેક્સ સ્લેબમાં પરિવર્તન કરવાથી 30,000 કરોડ રૂપિયાની વધારે આવક મળી શકે છે.
ફેબ્રુઆરીમાં આવશે બજેટ
સરકારની પાસે કોઈ સાહસિક પગલાં ઉઠાવવાની શક્યતા સીમિત છે. કેમકે આ વર્ષે મહેસૂલ સંગ્રહ ઘટવાની સંભાવના છે. સરકારે કથિત રીતે 15મા નાણાંકીય આયોગને સંકેત આપ્યો છે કે આવનારા 5 વર્ષમાં વેરાના વૃદ્ધિ બજેટના અનુમાનથી ઓછું હોઈ શકે છે. નાણાંકીય વર્ષ 2020ને માટે કરનું કુલ લક્ષ્ય 25.52 લાખ કરોડ છે જ્યારે નાણાંકીય વર્ષ 2019ના પ્રોવિઝનલ ડેટાના આધારે આ 23.61 લાખ કરોડ હોઈ શકે છે.
આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ નાણાકીય વર્ષ 2013 ના ચોથા ક્વાર્ટર પછીનો સૌથી નીચો છે. એ જ રીતે, આ નાણાકીય વર્ષના પહેલા ભાગમાં ખાનગી વપરાશ 4.1 ટકા પર આવી ગયો છે, જે સતત ઘટતો જાય છે. નાણાં મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે હાલના સંજોગોમાં આવકવેરા માળખામાં ફેરફાર અન્ય નાણાકીય પગલાની તુલનામાં વધુ યોગ્ય પગલું સાબિત થઈ શકે છે.