ઘણા સેલિબ્રિટી એવા પણ છે જેમણે ભાજપની પીચ પર બેટિંગ કરી રાજકારમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા છે. કોઈ સાંસદ બન્યું છે. તો કોઈ મંત્રી પણ બન્યું છે. તો કોઈ આ ચૂંટણીમાં રણમેદાને ઉતર્યું છે. તો જોઈએ આવા કેટલાક સેલિબ્રિટીની રાજકીય સફર વિશે. આ અહેવાલમાં.
બોલિવુડની સાથે સાથે અનેક સ્ટાર્સ એવા છે જેમણે રાજકારણમાં પોતાનું કિસ્મત અજમાવ્યું છે. કોઈને ભાજપની ટિકિટ મળી તો કોઈને અન્ય કોઈ પાર્ટીની ટિકિટ પર રાજકારણમાં પોતાના પગ જમાવાનો પ્રયાસ કર્યો. આ સ્ટાર્સ કેટલાક તો એવા પણ છે જેમનું કિસ્મત એક જ ઝટકામાં ચમકી પણ ગયું. તો કેટલાક એા પણ છે જેમણે સફળતા મળી શકી નથી. તો આવા જ કેટલાક સેલિબ્રિટી વિશે જાણીએ.
ભાજપના આ સાંસદ હેમા માલિનીનું એક સફળ ફિલ્મી કેરિયર તો રહ્યું જ સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ખુબ નામના મેળવી. હેમા માલિનીએ વર્ષ 2004માં ભાજપ પાર્ટી જોઈન કરી હતી. તો 2014ની લોકસભા ચૂંટણીમાં હેમા માલિનાએ ભાજપની ટિકિટ પર મથુરાથી ઝંપલાવ્યું હતું અને સારા મતોથી જીત મેળવી હતી. આજે હેમા માલિની ન માત્ર બોલિવુડમાં પણ રાજકારણમાં પણ જાણિતો ચહેરો છે. 2019માં પણ ફરી પાર્ટીએ તેમને રિપિટ કર્યા છે અને મથુરાથી રણમેદાનમાં ઉતાર્યા છે.
દેશમાં જે પણ સેલેબ્રિટીનું સૌથી સફળ રાજકીય કેરિયર રહ્યું તેમાં સ્મૃતિ ઈરાનીનો ચોક્કસ સમાવેશ કરવો પડે. ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં તુલસીનો કિરદાર નિભાવીને તમામ ઘરે ઘરે ખ્યાતનામ થયેલી સ્મૃતિ ઝૂબીન ઈરાની હાલ કેન્દ્રની મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. રાજકારણમાં આવ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અભિનય છોડી દીધો છે. અભિનયથી રાજકારણ સુધી પહોંચવાનો તેમનો સફર ઘણો જ સંઘર્ષ ભરેલો રહ્યો છે. ભાજપે તેમને 2014માં અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે લડાવ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. તેમ છતાં ભાજપે તેમને રાજ્યસભામાંથી સાંસદ બનાવી કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. 2019માં ફરી ભાજપ તેમને અમેઠીથી લડાવવા જઈ રહ્યું છે.
શત્રુઘ્ન સિન્હા ભાજપના ચર્ચિત નેતાઓમાંથી એક છે. ફિલ્મોમાં અનેક મોટી સફળતાઓ મેળવ્યા બાદ શૉટગનની રાજકીય પારી પણ ખુબ જ સારી રહી. 2014માં ભાજપે તેમને બિહારની પટણાસાહિબ બેઠકથી લોકસભા ચૂંટણી લડાવ્યા હતા. જેમાં સિન્હા મોટા માર્જિનથી જીત મેળવવામાં સફળ થયા હતા, પરંતુ મંત્રી મંડળમાં જગ્યા નહીં મળવાના કારણે તેઓ ભાજપથી નારાજ જોવા મળ્યા અને અનેકવાર પોતાની જ મોદી સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા. જેના કારણે આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટણાસાહિબથી મેદાનમાં ઉતાર્યા છે.
ફિલ્મ વીર-ઝારા, દેવદાસ અને રંગ દે બસંતી જેવી બોલિવુડની ખ્યાતનામ ફિલ્મોમાં નજરે આવી ચુકેલા અભિનેત્રી કિરણ ખેર ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. હાલ તેઓ ભાજપના સાંસદ છે. 2014માં ભાજપે તેમને ચંડીગઢથી લોકસભાની ટિકિટ આપી હતી અને કિરણ ખેર તેમાં વિજેતા બન્યા હતા. કિરણ ખેર હંમેશા સંસદ ભવનમાં જોવા મળે છે અને સંસદની દરેક કાર્યવાહીમાં તેઓ ભાગ લે છે. તેમની કામગીરી પણ સારી છે, પરંતુ પાર્ટી ફરી તેમને રિપિટ કરશે કે નહીં તેની હજુ જાહેરાત થઈ નથી.
ખ્યાતનામ સિંગર બાબુલ સુપ્રિયો ભાજપ સાથે જોડાયેલા નેતા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પણ છે. બાબુલ સુપ્રિયો હૈવી ઈન્ડસ્ટ્રીઝ અને પબ્લિક ઈન્ટરપ્રાઈઝ રાજ્ય મંત્રીનો પદભાર સંભાળી રહ્યા છે. બોલિવુડની અનેક ફિલ્મોમાં પોતાનો મધુર સ્વર આપનારા બાબૂલ સુપ્રિયોને ભાજપે 2014માં બંગાળની આસનસોલ બેઠકથી ચૂંટણી લડાવ્યા હતા. જેમાં તેમણે જીત મેળવી હતી. 2019માં પણ તેઓ ફરી એક વખત બંગાળની આસનસોલ બેઠક ઝંપલાવવાના છે.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત મન કી મીત ફિલ્મથી કરી હતી. વિનોદ ખન્ના બોલિવુડની સાથે સાથે રાજકારણ ક્ષેત્રે પણ પોતાનો દબદબો બનાવ્યો હતો. વિનોદ ખન્નાએ ભાજપની ટિકિટ પર 2014માં પંજાબની ગુરુદાસપુર બેઠકથી ચૂંટણી લડી હતી અને સાર માર્જિનથી જીત મેળવી હતી, પરંતુ 2017માં તેમનું અવસાન થઈ ગયું.
ફિલ્મોમાં પોતાની કોમિડીથી દર્શકોનું દીલ જીતનારા ખ્યાતનામ અભિનેતા એટલે પરેશ રાવલ. પોતાના કોમિડીથી લોકોને ખુશ કરી તેઓ 2014માં રાજનીતિની પીચ પર ઉતર્યા હતા. પરેશ રાવલ ભાજપ સાથે કેટલાય સમયથી જોડાયેલા હતા. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અવાર નવાર ભાજપ માટે પ્રચાર કરવા ગુજરાતમાં આવતા હતા અને જ્યારે 2014ની લોકસભા ચૂંટણી આવી ત્યારે ભાજપને તેમને અમદાવાદ પૂર્વની બેઠક પરથી લડાવ્યા હતા. જ્યાં તેમણે સારા મતોથી જીત મેળવી હતી. હવે ફરી એકવાર 2019માં તેમણે રિપિટ કરાશે કે કેમ તે એક પ્રશ્ન છે.
ભોજપુરી ફિલ્મોના ખ્યાતનામ એક્ટર રવિકિશનની રાજકારણમાં એન્ટ્રી પાટલી બદલું રહી. રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારે સૌથી પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ થોડાક સમય બાદ તેમણે ભાજપને કેસરિયો ધારણ કરી લીધો હતો અને હાલ ભાજપના સંગઠનમાં કામ કરી રહ્યા છે. રવિ કિશન ભોજપુરી ફિલ્મોની સાથે સાથે બોલિવુડમાં પણ ઘણો ચર્ચિત ચહેરો છે.
ભોજપુરી ફિલ્મનો એક્ટર્સ અને ગાયક મનોજ તિવારી હાલ ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપના સાંસદ પણ છે. પોતાના મધુર અવાજથી બિહારી અને યુપીના લોકાના દિલોમાં રાજ કરનારા મનોજ તિવારીનું રાજકીય કેરિયર પણ ઘણું ઉલટ સુલટ રહ્યું. પહેલા તેઓ સમાજવાદી પાર્ટીની સાઈકલ પર સવાર થયા હતા. પરંતુ બાદમાં તેઓ ભાજપમાં સામિલ થઈ ગયા. 2014માં પાર્ટીએ તેમણે દિલ્લીની નોર્થ ઈસ્ટ દિલ્લીથી ટિકિટ આપી. જ્યાં તેમણે જીત મેળવી અને સંસદમાં પહોંચ્યા. મનોજ તિવારી ભાજપના સાંસદની સાથે સાથે દિલ્લી ભાજપના અધ્યક્ષ પણ છે. તેમના જ નેતૃત્વમાં ભાજપે દિલ્લી નગર નિગમની ચૂંટણીમાં સત્તા મેળવી હતી.
બોલિવુડની મોટા પડદાની ફિલ્મોમાં જેનો સમાવેશ થાય છે તે સૂર્યવંશમમાં હીરા ઠાકુરની પત્નીનો રોલ અભિનેત્રી સૌંદર્ય રઘુએ નિભાવ્યો હતો. આ ખ્યાતનામ અભિનેત્રીનું કેરિયર ખુબ જ ટૂંકુ રહ્યું અને નાની ઉંમરમાં જ તેમનું નિધન થઈ ગયું. વર્ષ 2004માં તેઓ ભાજપ માટે પ્રચાર કરવા બેંગાલુરુથી ચોપરમાં નીકળ્યા હતા, પરંતુ આ ચોપરની ઉડાન તેમની આખરી ઉડાન રહી, ચોપર દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમનું નિધન થઈ ગયું.