જ્યોતિષ શાસ્ત્રની સલાહથી કેટલાક લોકો હાથમાં રત્નોવાળી વીંટી અથવા બ્રેસલેટ અથવા ગળામાં પેન્ડલમાં રત્નો પહેરે છે. આ રત્નો અલગ-અલગ રંગના હોય છે. તેને પહેરવા પાછળ કારણો પણ અલગ-અલગ હોય છે. તમે ઘણા લોકોના હાથમાં કાચબાવાળી વીંટી જોઇ હશે. જાણો આ વીંટી શા માટે પહેરવામાં આવે છે અને તેનાથી શુ ફાયદો થાય છે...
આ વીંટીને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આ વીંટી વ્યકિતના જીવનમાં અનેક દોષોને શાંત કરવાનું કામ કરે છે અને સાથે જ તમારો આત્મવિશ્વાસ વધારશે.
શાસ્ત્રો અનુસાર કાચબો પાણીમાં રહે છે જે સકારાત્મતા અને ઉન્નતિનું પ્રતિક ગણવામાં આવે છે. કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયો અને સાથે દેવી લક્ષ્મી પણ ત્યાંથી આવી હતી.
આજ કારણ છે કે વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને વધારે મહત્વ આપવામાં આવ્યુ છે. કાચબાને દેવી લક્ષ્મીને સાથે જોડીને ધન લાભ વધારવાનો માનવામાં આવે છે. આ ઉપરાંત આ જીવ ધૈર્ય શાંતિ નિરંતરતા અને સમુદ્ઘિનું પ્રતિક છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીમાં બનેલી હોવી જોઇએ. જો તમે અન્ય કોઇ ધાતુનો પ્રયોગ કરવા માંગો છો તો સોનું અથવા અન્ય રત્નને કાચબાના આકારમાં ચાંદીમાં બનાવીને તેની ઉપર સોનાની ડિઝાઇન બનાવી શકો છો.
જ્યારે પણ આ વીંટી બનાવો ત્યારે ખાસ બાબતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ વીંટી પહેરો ત્યારે કાચબાનો માથાનો ભાગ પહેરનારા વય્કિતની તરફ રહવો જોઇએ. કાચબાનું મોઢું બહારની તરફ હશે અને ધન આવવાને બદલે હાથમાં જતું રહે છે.
હાથની મધ્યમ અથવા તર્જની આંગળીમાં પહેરવી. કાચબાને માત લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. એટલા માટે કાચબાવાળી વીંટી પહેરવા માટે શુક્રવારનો દિવસ શુભ છે. શુક્રવારે આ વીંટીને માતા લક્ષ્મીજીના મૂર્તિ અથવા તસવીરની સામે થોડા સમય માટે મૂકો. પછી તેને દૂધ અને પાણીના મિશ્રણથી સાફ કરો અંતે અગરબત્તી કરીને વીંટીને પહેરી લો. આ દરમિયાન તમે ઇચ્છો તો મા લક્ષ્મીની બીજ મંત્રીનો નિરંતર જાપ પણ કરતા રહો.