રક્ષાબંધન એટલે આંતરિક ભયને નષ્ટ કરીને આત્મબળના વિસ્તારનો પર્વ. આ તહેવારને બળેવ અને નારિયેળી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. એવી કથા છે કે આ દિવસ ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિને પાતાળમાં મોકલી દીધા હતા. તેથી જ આ પર્વને બળેવ તરીકે પણ ઉજવવામાં આવે છે. જોકે આ દિવસે બાંધવામાં આવતી રાખડી વાસ્તવમાં કેવી હોવી જોઇએ અને તેમાં શું ખૂબી હોવી જોઇએ આજે જાણી લો..
આ દિવસને શ્રાવણી અથવા નારીયેળી પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે પુરુષો વહેવા પીણામાં શ્રીફળ અર્પણ કરી નદી તટે પૂજાવિધિ સાથે પોતાની જનોઇ બદલે છે. એક પૌરાણિક કથા અનુસાર અદિતી પુત્રી દેવો અને દિતિના પુત્રો દૈત્યો વચ્ચે યુદ્ઘ દરમિયાન જ્યારે દેવો નબળા પડવા લાગ્યા ત્યારે ભયભિત દેવોને ઇંદ્રાણીને રક્ષાસૂત્ર બાંધી અભય વરદાન આપ્યું હતુ. ત્યારથી રક્ષાસૂત્ર કે રાખડીએ રક્ષાબંધનનું મુખ્ય તત્વ છે. જોકે રક્ષાબંધન ફકત ભાઇ-બહેનના સંબંધોનું પર્વ નથી. તેમા ગુરુ શિષ્ય પતિ-પત્ની પણ રાખડી બાંધી શકે છે આ તહેવારનું મૂળ હેતુ બે વ્યકિતઓ વચ્ચે અતૂટ અને નિર્મળ સંબંધ મજબૂત કરવાનો છે.
માનો કે ના માનો ભારતીય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે દરેક વાત પાછળ કોઇને કોઇ વૈજ્ઞાનિક કારણ હોય છે. પહેલાના સમયમાં રાખડી બનાવવા માટે કેસર ચોખા સરસોના દાણા દુર્વા અને ચંદનનો ઉપયોગ થતો હતો. જેને લાલ કલરના રેશમી કપડાંમાં રેશમના દોરાથી બાંધી લેવામાં આવે છે. હવે આ તમામ સામગ્રીઓની પસંદગીમાં વૈજ્ઞાનિક કારણ છે તેમજ આ સામગ્રીમાં આધ્યત્મિકતા સાથે આરોગ્ય અંગેના ગુણો છૂપાયેલા છે. રાખડીમાં રેશમ મુખત્વે છે. રેશમને આધુનિક સાયન્સ પણ પ્રતિજૈવિક એટલે કે કીટાણુઓને નષ્ટ કરવાવાળું માને છે તેથી જ એન્ટીબાયોટિક કહેવાય છે.
કેસરને ઓજકારક ઉષ્ણવીર્ય ઉત્તેજક પાચક વા-કફ-નાશક અને દુખાવામાં રાહત આપે છે. સરસોને ચામડીના રોગ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. સરસો કફ અને વાથી થતા રોગ ખંજવાળ કોઢ પેટના કરમિયાની સમસ્યા માટે ફાયદાકારક રહે છે. જ્યારે દુર્વા કાંતિવર્ધક રક્તદોષ મૂર્છા અતિસાર રક્ત પિત્ત ગુપ્તરોગ કમળો ઉદરરોગ એપેન્ડિક્સ વેગેરમાં વિશેષ લાભદાયક રહે છે.
ચંદનને શીતળ માનવામાં આવે છે. જે આપણા મગજમાં રહેલા સેરાટેનિન અને બીટાએંડોરફિન નામના રસાયણ સંતુલિત કરે છે. જેના કારણે રક્ષાબંધનની રાખડીમાં કેસર હોવાથી વ્યકિતના તેજમાં વધારો થાય છે. તો ચોખા એટલે અક્ષત એવી ભાવના સાથે આવે છે તેને પહેરનાર વ્યકિત સદા અક્ષત સ્વસ્થ્ય અને વિજયી રહે. સરસો બળમાં વુદ્ઘિ દૂર્વા-સદગુણોમાં વૃદ્ઘિ ચંદનજીવનમાં આનંદ વધે તેના પ્રતિક છે.
આજે બજારમાં સોના-ચાંદીની રાખડી જોવા મળે છે જેનુ કોઇ વૈજ્ઞાનિક આધાર નથી ન તો કોઇ શાસ્ત્રીય. સોના-ચાંદી તો ભૌતિક અને સમસ્યા વધારનારા છે. ઇતિહાસમાં મોટેભાગે યુદ્ઘ અને વૈમનસ્ય પાછળ સ્થૂળ સંપત્તિ જ જવાબદાર રહી છે. જ્યારે રક્ષાબંધનમાં તો સંબંધોને વધુ મજબૂત નિર્મળ અને એકબીજા સાથે ગાઢ બંધનમુક્ત બનાવવાની વાત છે. પછી તે ભાઇ-બહેનનો સંબંધ હોય કે પછી ગુરુ શિષ્યનો સંબધ હોય કે પતિ પત્નીનો સંબંધ હોય.