સવારના સમયે લીલું ઘાસ અથવા સફેદ ફૂલ જોવા મળે છે ખુશહાલી આવી છે. ગાય જોવા મળવા પર ધન પ્રાપ્તિનો યોગ બને છે, એનાથી આવકનો સ્ત્રોત બને છે.
દરેક લોકો ઇચ્છે છે કે એમનો દિવસ સારો જાય, પરંતુ ભવિષ્યમાં શું લખેલું છે એ એમને ખબર હોતી નથી. એવામાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાપ કેટલાક એવા સંકેત જણાવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિની કિસ્મત અને એમની દિવસની ગણના કરી શકાય છે.
જો કોઇ વ્યક્તિને સવારે ઊઠતાં જ આસપાસ પાણીમાં રહેતું પક્ષી અથવા સફેદ ફૂલ જોવા મળે તો એને સમજી લેવું જોઇએ કે એમનો દિવસ સારો પસાર થવાનો છે. કારણ કે આ બંને શાંતિનું પ્રતીક છે.
સવાર ઊઠતાં જ જો ગાય જોવા મળે અથવા એનો અવાજ સંભળાય તો સમજો કે દિવસ ખૂબ જ શુભ થવાનો છે. આ ધન પ્રાપ્તિનો સંકેત છે.
જ્યોતિષ અુસાર ગોબર અથવા લીલા ઘાસનું સવારના સમયે જોવું પણ સારું માનવામાં આવે છે. એનાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે. એનાથી નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના રહે છે.
સવારના સમયે નારિયેળ, શંખ, મોર અથવા હંસ વગેરેનું જોવું પણ શુંભ માનવામાં આવ્યું છે. એનાથી વ્યક્તિની તરક્કી થાય છે. સાથે જ એને ટેન્શનથી પણ રાહત મળે છે.
મોટાભાગે ઘરની સામે ગાયનું સવાર સવારમાં છાણ કરી દેવાથી લોકો પરેશાન થઇ જાય છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એને સારો સંકેત માનવામાં આવ્યો છે. કહેવાય છે કે એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ના થાય છે અને ઘરમાં એનું આગમન થાય છે.
સવારે પોતાની હથેળીઓને જોવાથી લક્ષ્મી, સરસવ્તી અને હરિના દર્શન થાય છે. જેનાથી ધન, જ્ઞાન અને સુખની પ્રાપ્તિ થાય છે.
સવારે ગણેશ જી ની મૂર્તિના દર્શન પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે એનાથી વ્યક્તિનો દિવસ સારો જાય છે.
સવારના સમયે નાચતો મોર જોવા મળે તો શુભ સંકેત થાય છે.