દેશમાં કોલોસાની કટોકટી ઘેરી બની રહી છે. સરકારે કોર મેનેજમેન્ટ કમિટીની રચના કરી છે જે કોલસાના સ્ટોકનું મોનિટરિંગ અને મેનેજમેન્ટ સંભાળી રહી છે.
વરસાદને કારણે કોલસાનું ઉત્પાદન પ્રભાવિત થયું છે.
ચોમાસાની શરૂઆત પહેલા કોલસાનો સ્ટોક ન કરાયો
વિદેશથી આવતા કોલસાના ભાવ વધ્યા.
આ ચાર કારણોના પગલે દેશમાં વીજ સંકટનું ખતરો મંડાયો
દેશમાં કોલસાની કટોકટી ધેરી બની રહી છે. કોલસાની કટોકટીની સીધી અસર વીજળીના ઉત્પાદન પર પડશે,કારણ કે દેશમાં મોટા ભાગની વીજળી કોલસમાંથી બને છે. જો કે, ઉર્જા મંત્રાલયે દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં દેશમાંથી કોલસાની કટોકટી દૂર થશે પરંતુ આ કટોકટી શા માટે આવી તેના ચાર મુખ્ય કારણો આ પ્રમાણે છે ...
1. અર્થતંત્રમાં સુધારો થતાં વીજળીની માંગ વધી છે.
2. સપ્ટેમ્બરમાં કોલસાની ખાણોની આસપાસ વધુ પડતા વરસાદને કારણે કોલસાનું ઉત્પાદન પ્રભાવિત થયું છે.
3. વિદેશથી આવતા કોલસાના ભાવ વધ્યા. આનાથી સ્થાનિક કોલસા પર નિર્ભરતા વધી.
4. ચોમાસાની શરૂઆત પહેલા કોલસાનો સ્ટોક ન કરાયો
વીજળીનો વપરાશ વધ્યો.
કોવિડની બીજી લહેર બાદ અર્થતંત્રમાં સુધારો થયો છે. આનાથી વીજ વપરાશમાં વધારો થયો છે. હાલમાં, દરરોજ 4 અબજ યુનિટનો વપરાશ થઈ રહ્યો છે અને 65% થી 70% વીજળીની જરૂરિયાત કોલસામાંથી છે, તેથી કોલસા પર નિર્ભરતા વધી છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019 માં વીજળીનો વપરાશ 106.6 અબજ યુનિટ હતો, જ્યારે આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 124.2 બીયુનો વપરાશ થયો હતો. આ સમયગાળા દરમિયાન, કોલસામાંથી વીજળીનું ઉત્પાદન 2019 માં 61.91% થી વધીને 66.35% થયું. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019 ની સરખામણીમાં આ વર્ષના સમાન બે મહિનામાં કોલસાનો વપરાશ 18% વધ્યો છે.
ચાલુ વર્ષે સ્થાનિક કોલસાની માંગ વધી
માર્ચ 2021 માં ઇન્ડોનેશિયાના કોલસાની કિંમત ડોલર 60 પ્રતિ ટન હતી, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વધીને ડોલર 160 પ્રતિ ટન થઈ હતી.જેના કારણે કોલસાની આયાતમાં ઘટાડો થયો છે. 2019 ની સરખામણીમાં આયાતી કોલસામાંથી વીજ ઉત્પાદન 43.6% ઘટ્યું છે, જેના કારણે એપ્રિલ અને સપ્ટેમ્બર 2021 ની વચ્ચે સ્થાનિક કોલસા પર 17.4 MT ની વધારાની માંગ છે.
સરકાર શું કરી રહી છે?
કોલસાના સ્ટોક પર નજર રાખવા માટે 27 ઓગસ્ટે વીજ મંત્રાલય દ્વારા કોર મેનેજમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમ અઠવાડિયામાં બે વખત કોલસાના સ્ટોકનું મોનિટરિંગ અને મેનેજમેન્ટ સંભાળે છે.આ કમિટીમાં ઉર્જા મંત્રાલય, સીઈઓ, પોસોકો, રેલવે અને કોલ ઈન્ડિયા લિમિટેના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સમિતિ 9 ઓક્ટોબરે મળી હતી. તેમાં નોંધ કરવામાં આવી છે કે 7 ઓક્ટોબર સુધી, કોલ ઇન્ડિયાએ એક દિવસમાં 1.501 મેટ્રિક ટન કોલસો મોકલ્યો હતો, જેનાથી વપરાશ અને પુરવઠા વચ્ચેનું અંતર દૂર થયું હતું. આગામી ત્રણ દિવસમાં આ રવાનગી 1.6 મેટ્રિક ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.