These are the 3 biggest symptoms of omicron, if they appears in the body then be alert, do this work immediately
એલર્ટ /
આ છે ઓમિક્રૉનનાં 3 સૌથી મોટા લક્ષણો, શરીરમાં દેખાય એટલે તરત થઈ જજો સતર્ક, તરત કરો આ કામ
Team VTV12:49 PM, 12 Jan 22
| Updated: 12:55 PM, 12 Jan 22
દેશમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનનો કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રૉનના વધતા સંક્રમણને ટાળવા માટે, તેના તમામ લક્ષણો વિશે જાણકારી મેળવવી જરૂરી છે.
કોરોનાના વેરિઅન્ટ Omicron ના છે ત્રણ મોટા લક્ષણો
Omicron ના વધતાં કેસ બન્યા ચિંતાનો મુખ્ય સ્ત્રોત
સંક્રમણને ટાળવા માટે લક્ષણો વિશે જાણકારી જરૂરી
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે અને છેલ્લા એક સપ્તાહથી દરરોજ એક લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તે દરમિયાન, દેશમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રૉનના કેસ પણ વધી રહ્યા છે અને કુલ કેસ વધીને 4461 થઈ ગયા છે. જો કે ઓમિક્રૉન એટલું જીવલેણ નથી, પરંતુ કેસોની વધતી સંખ્યા ચિંતાનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.
હળવા લક્ષણોએ લોકોને બેદરકાર બનાવ્યા
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રૉન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે કોવિડ-19ના જૂના વેરિઅન્ટની જેમ ઘાતક નથી. જેના કારણે લોકો મોટાભાગે બેદરકાર બની રહ્યા છે અને તેને સામાન્ય શરદી સમજવાની ભૂલ કરી રહ્યા છે. આટલું જ નહીં, તેઓ મુક્તપણે ફરે છે અને તેના કારણે ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યો છે.
શું છે Omicron ના સામાન્ય લક્ષણો?
એક રિપોર્ટ અનુસાર, US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એનાલિસિસે માહિતી આપી છે કે ઉધરસ, થાક, કંજેશન અને વહેતું નાક ઓમિક્રૉન વેરિઅન્ટના ચાર સૌથી સામાન્ય લક્ષણો છે. કિંગ્સ કોલેજ લંડનના જેનેટિક એપિડેમિયોલોજીના પ્રોફેસર, ટિમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, હળવો તાવ, થાક, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો, રાત્રે પરસેવો જેવા આ તમામ લક્ષણો ઓમિક્રૉનનો સંક્રમણ સૂચવી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ઓમિક્રૉન વેરિયાન્ટના ત્રણ સૌથી મોટી લક્ષણો શું છે?
માથાનો દુખાવો
માથાનો દુખાવો એ એક એવી સ્થિતિ છે જે ઘણા કારણોસર થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી COVID-19 અથવા ઓમિક્રૉન વેરિયાન્ટનો સંબંધ છે, વૈજ્ઞાનિકોએ તેને લક્ષણોની સત્તાવાર સૂચિમાં ઉમેરવાની વિનંતી કરી છે. સંક્રમિત થાય બાદ શરીરમાં થતી બળતરાને જોતાં માથાનો દુખાવો એ એક સામાન્ય રોગ છે. આમાં, દુખાવો તીક્ષ્ણથી હળવો હોઈ શકે છે અને તેની સાથે અન્ય લક્ષણો પણ હોઈ શકે છે.
ગળામાં ખરાશ
ગળામાં ખરાશ એ એક લક્ષણ છે જે ઓમિક્રૉન વેરિઅન્ટના લક્ષણની આગળ આવે છે. તેનાથી ગળામાં દુખાવો અને બળતરા થઈ શકે છે. ઓમિક્રૉન વેરિઅન્ટને શોધી કાઢનાર પ્રથમ વ્યક્તિ અને દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું છે કે કોવિડ-19ના નવા પ્રકારથી સંક્રમિત મોટાભાગના દર્દીઓ હળવા તાવ સાથે ગળામાં ખરાશની ફરિયાદ કરે છે.
વહેતું નાક
અત્યાર સુધીમાં મોટાભાગના ઓમિક્રૉન લક્ષણો સામાન્ય શરદી અથવા ફ્લૂ સાથે એકરુપ હોય છે, જે કોઈને COVID-19 છે કે સામાન્ય શરદી છે તે કહેવું મુશ્કેલ બનાવે છે. વહેતું નાક એ કોરોના વાયરસ સાથે સંકળાયેલ એક લક્ષણ છે. COVID-19 દર્દીઓમાં વહેતું નાક વધુ સામાન્ય બન્યું છે.
લક્ષણો દેખાય ત્યારે શું કરવું?
કોવિડ-19ના સંક્રમણને શોધવાની સૌથી સચોટ પદ્ધતિ RT-PCR ટેસ્ટ છે. તેથી જ્યારે પણ તમે તમારી અંદર આ લક્ષણો અનુભવો, શક્ય તેટલી વહેલી તકે તમારી જાતને ચેકઅપ કરવો. જે લોકોને શરદીના લક્ષણો દેખાય છે તેમને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી સંક્રમણને આગળ વધતો અટકાવી શકાય. આ સાથે, જ્યાં સુધી ટેસ્ટ રિપોર્ટ આવે અને તમે કોરોના સંક્રમિત નથી તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવે છે.
સંક્રમણથી બચવા માટે આટલું કરો
માસ્ક પહેરવું એ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રૉનના સંક્રમણને ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે કોવિડ-19નું નવું વેરિયાન્ટ વધુ ચેપી છે અને વેક્સિન બંને ડોઝ લીધેલા લોકોને પણ અસર કરી રહ્યું છે. આ સિવાય જે લોકોને પહેલાથી જ કોરોના થઈ ગયો છે તેઓ પણ ઓમિક્રૉનના સંક્રમણનો ભોગ બની શકે છે. તેથી, કોરોના નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખો અને જો ખૂબ જ મહત્વપૂર્ણ નથી, તો તમારી મુસાફરી બંધ કરો.